Gujarat Corona Update: અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Today Gujarat Corona virus Case)ના નવા કેસમાં ગઇ કાલ કરતા ધરખમ વધારો નોંધાયા છે. ગુજરાતમાં 25 જૂનની સાંજે કોરોના વાયરસના નવા કેસની (Gujarat Covid Cases on 25-06-2022) સ્થિતિ વધારે વણસી ગઇ છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે 400થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના એક્ટિવ કેસનો આંકડો 2299 એ પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 25 જૂનની સાંજે કોરોના વાયરસના નવા 419 કેસ નોંધાયા છે. જોકે રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 170 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે 25 જૂનની સંધ્યાએ કોરોનાના 419 નવા કેસ નોંધાયા છે. ત્યાં જ 218 દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે. ત્યાં જ અમદાવાદમાં 170, વડોદરામાં 38, ભાવનગરમાં 33 કેસ, વલસાડમાં 13, ગાંધીનગરમાં 12, રાજકોટમાં 12 કેસ, જામનગરમાં 10, નવસારીમાં 9, અમરેલીમાં 8 કેસ નોંધાયો છે. ત્યાં જ ગાંધીનગર, મહેસાણા, પાટણ અને રાજકોટમાં 05-05 કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકા, ખેડા અને સુરેન્દ્રનગરમાં 03-03 કેસ નોંધાયા છે. મોરબી અને સાબરકાંઠામાં 02-02 કેસ નોંધાયા છે. આણંદ, ભરૂચ અને તાપીમાં 01-01 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે 25 જૂનની સાંજે કુલ 218 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેમાંથી અમદાવાદ શહેરમાં સૌથી વધુ 129 દર્દીઓ સાજા થયા છે. ત્યાં જ વડોદરા કોર્પોરેશનમાં 22, સુરત કોર્પોરેશનમાં 27, ગાંધીનગર કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 03, જામનગર કોર્પોરેશનમાં 3, વલસાડ 7, નવસારીમાં 3 અને અમરેલીમાં 04 દર્દી સાજા થયા છે.