Home » photogallery » ahmedabad » અમદાવાદ : દહેજ લાલચૂ પતિએ પત્ની પાસે તેણી ચારિત્ર્યહીન હોવાનો પત્ર લખાવ્યો!

અમદાવાદ : દહેજ લાલચૂ પતિએ પત્ની પાસે તેણી ચારિત્ર્યહીન હોવાનો પત્ર લખાવ્યો!

દહેજ ભૂખ્યો પતિ તેની પત્ની પાસે બળબરીથી તેણીના અન્ય પુરુષ સાથે સંબંધ છે તેવું લખાણ લખાવી તેના સાસરીયામાં પહોંચી ગયો.

  • 13

    અમદાવાદ : દહેજ લાલચૂ પતિએ પત્ની પાસે તેણી ચારિત્ર્યહીન હોવાનો પત્ર લખાવ્યો!

    હર્મેશ સુખડિયા, અમદાવાદ : શહેરના એક પોલીસ સ્ટેશન (Ahmedabad Police Station)માં પરિણીતાએ તેના જ પતિ સહિતના સાસરિયા (In-Laws)ઓ સામે ફરિયાદ નોંધાવી છે. મૂળ રાજસ્થાન (Rajasthan)નો આ પરિવાર દહેજ ભૂખ્યો હોવાથી પરિણીતાને ત્રાસ આપતો હતો. સાસરિયા તરફથી લાખો રૂપિયા દહેજ (Dowry) મળ્યું હોવા છતાં પતિ વધુ રૂપિયાની લાલચમાં આવી ગયો હતો. પતિએ સાસરિયાઓ પાસેથી પૈસા પડાવવા પત્ની ચારિત્ર્યહીન (Characterless)હોવાનું સાબિત કરવા માટે કાગળમાં લખાણ કરાવી લીધું હતું કે પત્નીને કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ છે. (આ સાથે પ્રસિદ્ધ થયેલા તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

    MORE
    GALLERIES

  • 23

    અમદાવાદ : દહેજ લાલચૂ પતિએ પત્ની પાસે તેણી ચારિત્ર્યહીન હોવાનો પત્ર લખાવ્યો!

    બાપુનગરમાં પોતાના માતાપિતાના ઘરે રહેતી 33 વર્ષીય મહિલાના વર્ષ 2006માં રાજસ્થાનના ઉદેપુરના કેસરિયાજી ખાતે એક પરિવારમાં લગ્ન થયા હતા. હાલ તેને સંતાનમાં 14 વર્ષનો પુત્ર અને 10 વર્ષની પુત્રી છે. પુત્ર તેના પિતા સાથે જ્યારે પુત્રી આ મહિલા સાથે રહે છે. લગ્ન બાદથી જ સાસરિયાઓએ પરિણીતા પાસેથી દહેજની આશા રાખી હતી. અવારનવાર કામને લઈને મહિલા સાથે બોલાચાલી કરતા હતા અને પછી વાત દહેજ પર લાવી ત્રાસ આપતા હતા. આટલું જ નહીં પણ મહિલા વિશે ખરાબ બોલી પુત્રની કાનભંભેરણી કરીને તેને તેનાથી દૂર કરી દીધો હતો. અમુક સમય બાદ પરિણીતાએ પુત્રીને જન્મ આપતા તેના લગ્નમાં વ્યવહારો કોણ કરશે તેમ કહી મહિલા પર ત્રાસ ગુજારતા હતા.

    MORE
    GALLERIES

  • 33

    અમદાવાદ : દહેજ લાલચૂ પતિએ પત્ની પાસે તેણી ચારિત્ર્યહીન હોવાનો પત્ર લખાવ્યો!

    મહિલાએ કંટાળીને પિયરમાં આ હકીકતો જણાવી હતી. જેથી મહિલાના પિતાએ ત્રણ-ત્રણ લાખ રૂપિયા બે વાર એમ કુલ છ લાખ મોકલ્યા હતા. જોકે, આટલા દહેજથી સંતોષ ન થતા પરિણીતાના પતિએ વધુ રૂપિયાની લાલચમાં આવીને પત્નીને અન્ય પુરુષ સાથે સબંધ હોવાનું એક કાગળ પર લખાવી લીધું હતું. બાદમાં આ વાત મહિલાના પિયરમાં જઈને કરી હતી અને મહિલાને ચારિત્ર્યહીન હોવાનું કહીને બદનામ કરી હતી. એટલું જ નહીં સાસરે રાખવી હોય તો વધુ રૂપિયાની માંગણી કરી હતી. આખરે સાસરિયાના ત્રાસથી કંટાળીને પરિણીતાએ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

    MORE
    GALLERIES