Home » photogallery » ahmedabad » સમાજ ઉત્થાન: અમદાવાદ રામોલમાં રહેતી મદારી જાતિઓની 16 સ્ત્રીઓ ભરતગુંથણ શીખી 

સમાજ ઉત્થાન: અમદાવાદ રામોલમાં રહેતી મદારી જાતિઓની 16 સ્ત્રીઓ ભરતગુંથણ શીખી 

Madari Caste Women: વિચરતી જાતિઓનાં જીવનનિર્વાહ કૌશલ્યને ઉજાગર કરતાં પ્રદર્શનનો આજે શહેરનાં નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં પ્રારંભ થયો છે. આ પ્રદર્શનમાં વડોદરા સ્થિત ભાષા સંશોધન અને પ્રકાશન કેન્દ્ર દ્વારા હાથ ધરવામા આવેલા અમદાવાદના રામોલ સ્થિત મદારી સ્ત્રીઓનાં જીવનનિર્વાહ પ્રોજેક્ટને દર્શાવવામાં આવ્યો છે.

विज्ञापन

  • 110

    સમાજ ઉત્થાન: અમદાવાદ રામોલમાં રહેતી મદારી જાતિઓની 16 સ્ત્રીઓ ભરતગુંથણ શીખી 

    અમદાવાદ: વિચરતી જાતિઓનાં જીવનનિર્વાહ કૌશલ્યને ઉજાગર કરતાં પ્રદર્શનનો આજે શહેરનાં નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં પ્રારંભ થયો છે. આ પ્રદર્શનમાં વડોદરા સ્થિત ભાષા સંશોધન અને પ્રકાશન કેન્દ્ર દ્વારા હાથ ધરવામા આવેલા અમદાવાદના રામોલ સ્થિત મદારી સ્ત્રીઓનાં જીવનનિર્વાહ પ્રોજેક્ટને દર્શાવવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 210

    સમાજ ઉત્થાન: અમદાવાદ રામોલમાં રહેતી મદારી જાતિઓની 16 સ્ત્રીઓ ભરતગુંથણ શીખી 

    આ પ્રદર્શન તા 26 ડિસેમ્બર, 2022 સુધી બપોરે 12 થી રાત્રીનાં 9 કલાક સુધી ખુલ્લું રહેશે.

    MORE
    GALLERIES

  • 310

    સમાજ ઉત્થાન: અમદાવાદ રામોલમાં રહેતી મદારી જાતિઓની 16 સ્ત્રીઓ ભરતગુંથણ શીખી 

    આ પ્રોજેક્ટ અંગે માહિતી આપતાં ભાષા સંશોધન અને પ્રકાશન કેન્દ્રનાં ટ્રસ્ટી ડો. મદન મીનાએ જણાવ્યું હતું કે “કોવિડ રોગચાળાની સૌથી વધુ ખરાબ અસર વિચરતી જાતિઓ પર થઈ છે.

    MORE
    GALLERIES

  • 410

    સમાજ ઉત્થાન: અમદાવાદ રામોલમાં રહેતી મદારી જાતિઓની 16 સ્ત્રીઓ ભરતગુંથણ શીખી 

    ડો. મદન મીનાએ વધુમાં જણાવ્યું કે, ‘આ જાતિઓ પરંપરાગત પ્રોત્સાહનો પર નભતી હતી. કેટલાંક દશકાઓ પહેલા આ જાતિઓ સમાજનો અગત્યનો ભાગ હતી અને તેમની વિશેષ આવડતો માટે તેમને મુલ્ય અને સન્માન મળતું હતું.

    MORE
    GALLERIES

  • 510

    સમાજ ઉત્થાન: અમદાવાદ રામોલમાં રહેતી મદારી જાતિઓની 16 સ્ત્રીઓ ભરતગુંથણ શીખી 

    દેશની આઝાદી બાદ ઔદ્યોગિકીકરણ અને નવા કાયદાઓનાં અમલીકરણને કારણે આવી વિચરતી જાતિઓનાં પરંપરાગત જીવનનિર્વાહ સ્ત્રોતો છીનવાઈ ગયાં. પરિણામે આવી જાતિઓ સમાજની મુખ્ય ધારાઓથી પાછળ રહી ગઈ અને ગાઢ અંધકારમાં સરી પડી.

    MORE
    GALLERIES

  • 610

    સમાજ ઉત્થાન: અમદાવાદ રામોલમાં રહેતી મદારી જાતિઓની 16 સ્ત્રીઓ ભરતગુંથણ શીખી 

    થોડા વર્ષો પૂર્વે સરકારી એજન્સીઓને તેમના અસ્તિત્વનું ભાન થયું અને દેશનાં કેટલાંક રાજ્યોમાં વિચરતી જાતિઓનાં વિકાસ માટે નક્કર કાર્યો થવા લાગ્યા છે.

    MORE
    GALLERIES

  • 710

    સમાજ ઉત્થાન: અમદાવાદ રામોલમાં રહેતી મદારી જાતિઓની 16 સ્ત્રીઓ ભરતગુંથણ શીખી 

    ડો. મદન મીનાએ વધુમા જણાવ્યું હતું કે, ‘કોવિડ રોગચાળા પહેલા ભાષા સંશોધન અને પ્રકાશન કેન્દ્ર વડોદરા દ્વારા રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાં ડી-નોટીફાઇડ જાતિઓ અને વિચરતી જાતિઓનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 810

    સમાજ ઉત્થાન: અમદાવાદ રામોલમાં રહેતી મદારી જાતિઓની 16 સ્ત્રીઓ ભરતગુંથણ શીખી 

    ડો. મદન મીનાએ કહ્યું કે, ‘આ અભ્યાસ દરમિયાન મદારી અને કાલબેલીયા જાતિઓનાં ખમી શકાય તેવી જીવનનિર્વાહની તકોને પૂરી પાડવાનો પ્રોજેક્ટ ઘડવામાં આવ્યો.’

    MORE
    GALLERIES

  • 910

    સમાજ ઉત્થાન: અમદાવાદ રામોલમાં રહેતી મદારી જાતિઓની 16 સ્ત્રીઓ ભરતગુંથણ શીખી 

    અમદાવાદ રામોલમાં રહેતી મદારી જાતિઓની સ્ત્રીઓને ભરતગુંથણ અને એમ્બ્રોયડરી જેવા હુન્નરો શીખવવાનો પ્રોજેક્ટ બુધાન થિયેટરની મદદ વડે શરૂ કરવામાં આવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 1010

    સમાજ ઉત્થાન: અમદાવાદ રામોલમાં રહેતી મદારી જાતિઓની 16 સ્ત્રીઓ ભરતગુંથણ શીખી 

    આ પ્રોજેક્ટમાં 16 મદારી સ્ત્રીઓને એક વર્ષથી પણ વધુ સમયની તાલીમ આપવામાં આવી છે. આ પ્રોજેક્ટનું સંકલન આતિશ ઈન્દ્રેકર અને મોહમ્મદ શરીફ દ્વારા કરવામાં આવ્યુ હતું.

    MORE
    GALLERIES