Home » photogallery » ahmedabad » અમદાવાદીઓ માટે સારા સમાચાર: મેટ્રો ટ્રેન હવે રાતનાં 10 વાગ્યા સુધી ચાલશે

અમદાવાદીઓ માટે સારા સમાચાર: મેટ્રો ટ્રેન હવે રાતનાં 10 વાગ્યા સુધી ચાલશે

Ahmedabad Metro: ગુજરાત મેટ્રો રેલ દ્વારા તારીખ 30મી જાન્યુઆરી, 2023ના રોજથી અમલમાં આવે તે રીતે હાલના 09થી રાતનાં 08ની સમય મર્યાદા વધારીને સવારે 7થી રાત્રે 10 સુધી હંગામી ધોરણે કરવાનો નિર્ણય કર્યો છે.

  • News18 Gujarati
  • |
  • | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  • 15

    અમદાવાદીઓ માટે સારા સમાચાર: મેટ્રો ટ્રેન હવે રાતનાં 10 વાગ્યા સુધી ચાલશે

    અમદાવાદ: અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદીઓ માટે હવે મેટ્રો ટ્રેનની સમય મર્યાદા સવારે 7:00થી રાત્રે 10:00 સુધી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આપને જણાવીએ કે, પહેલા મેટ્રો ટ્રેનનો સમય સવારે 9થી રાતનાં આઠ વાગ્યા સુધીનો હતો.

    MORE
    GALLERIES

  • 25

    અમદાવાદીઓ માટે સારા સમાચાર: મેટ્રો ટ્રેન હવે રાતનાં 10 વાગ્યા સુધી ચાલશે

    ગુજરાત મેટ્રો રેલ કંપનીની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, અમદાવાદ મેટ્રો ફેસ-1નું સમયપત્રક, જે હાલ સવારે 9થી રાત્રે 8 વાગ્યા સુધીનું છે, તેને વધારવા માટે વિવિધ રજૂઆતો મળી હતી.

    MORE
    GALLERIES

  • 35

    અમદાવાદીઓ માટે સારા સમાચાર: મેટ્રો ટ્રેન હવે રાતનાં 10 વાગ્યા સુધી ચાલશે

    આ સંદર્ભમાં વિશેષ કરીને વિદ્યાર્થીઓ તથા નોકરિયાતોને સવલત રહે તે ધ્યાને લેતા ગુજરાત મેટ્રો રેલ દ્વારા તારીખ 30મી જાન્યુઆરી, 2023ના રોજથી અમલમાં આવે તે રીતે હાલના 09થી રાતનાં 08ની સમય મર્યાદા વધારીને સવારે 7થી રાત્રે 10 સુધી હંગામી ધોરણે કરવાનો નિર્ણય કર્યો છે.

    MORE
    GALLERIES

  • 45

    અમદાવાદીઓ માટે સારા સમાચાર: મેટ્રો ટ્રેન હવે રાતનાં 10 વાગ્યા સુધી ચાલશે

    હાલ માંગ જોતા પૂર્વ-પશ્ચિમમાં દર 18 મિનિટે અને ઉત્તર-દક્ષિણમાં દર 25 મિનિટે ટ્રેનની વ્યવસ્થા છે. જેને મુસાફરોની સંખ્યા જોતાં તેનો દર 15 મિનિટ (પીક સમય)ના ગાળા સુધી કરવાની તૈયારી રાખેલ છે.

    MORE
    GALLERIES

  • 55

    અમદાવાદીઓ માટે સારા સમાચાર: મેટ્રો ટ્રેન હવે રાતનાં 10 વાગ્યા સુધી ચાલશે

    આ રીતે એક મહિના માટે ટ્રેન સેવા ચલાવીને ખરેખર જરૂરિયાત અંગે અભ્યાસ કરીને આગળના સમયપત્રકનો નિર્ણય લેવામાં આવશે.

    MORE
    GALLERIES