આજથી અમદાવાદ મેટ્રો રાતનાં 10 વાગ્યા સુધી દોડશે, જાણો બીજું શું બદલાયું?
Ahmedabad metro: શહેરમાં પૂર્વ-પશ્ચિમમાં દર 18 મિનિટે અને ઉત્તર-દક્ષિણમાં દર 25 મિનિટે ટ્રેનની વ્યવસ્થા હતી. જેને મુસાફરોની સંખ્યા જોતાં તેનો દર 15 મિનિટ (પીક સમય)ના ગાળા સુધી કરવાની તૈયારી રાખેલ છે.
અમદાવાદ: અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદીઓ માટે હવે મેટ્રો ટ્રેનની સમય મર્યાદા સવારે 7:00થી રાત્રે 10:00 સુધી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આપને જણાવીએ કે, પહેલા મેટ્રો ટ્રેનનો સમય સવારે 9થી રાતનાં આઠ વાગ્યા સુધીનો હતો.
2/ 5
ગુજરાત મેટ્રો રેલ કંપનીની એક અખબારી યાદીમાં જણાવાયા પ્રમાણે, અમદાવાદ મેટ્રો ફેસ-1નું સમયપત્રક, જે પહેલા સવારે 9થી રાત્રે 8 વાગ્યા સુધીનું છે, તેને વધારવા માટે વિવિધ રજૂઆતો મળી હતી.
3/ 5
આ સંદર્ભમાં વિશેષ કરીને વિદ્યાર્થીઓ તથા નોકરિયાતોને સવલત રહે તે ધ્યાને લેતા ગુજરાત મેટ્રો રેલ દ્વારા આજથી એટલે તારીખ 30મી જાન્યુઆરી, 2023ના રોજથી અમલમાં આવે તે રીતે હાલના 09થી રાતનાં 08ની સમય મર્યાદા વધારીને સવારે 7થી રાત્રે 10 સુધી હંગામી ધોરણે કરવાનો નિર્ણય કરાયો છે.
4/ 5
હાલ માંગ જોતા પૂર્વ-પશ્ચિમમાં દર 18 મિનિટે અને ઉત્તર-દક્ષિણમાં દર 25 મિનિટે ટ્રેનની વ્યવસ્થા હતી. જેને મુસાફરોની સંખ્યા જોતાં તેનો દર 15 મિનિટ (પીક સમય)ના ગાળા સુધી કરવાની તૈયારી રાખેલ છે.
5/ 5
આ રીતે એક મહિના માટે ટ્રેન સેવા ચલાવીને ખરેખર જરૂરિયાત અંગે અભ્યાસ કરીને આગળના સમયપત્રકનો નિર્ણય લેવામાં આવશે.
विज्ञापन
15
આજથી અમદાવાદ મેટ્રો રાતનાં 10 વાગ્યા સુધી દોડશે, જાણો બીજું શું બદલાયું?
અમદાવાદ: અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદીઓ માટે હવે મેટ્રો ટ્રેનની સમય મર્યાદા સવારે 7:00થી રાત્રે 10:00 સુધી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આપને જણાવીએ કે, પહેલા મેટ્રો ટ્રેનનો સમય સવારે 9થી રાતનાં આઠ વાગ્યા સુધીનો હતો.
આજથી અમદાવાદ મેટ્રો રાતનાં 10 વાગ્યા સુધી દોડશે, જાણો બીજું શું બદલાયું?
ગુજરાત મેટ્રો રેલ કંપનીની એક અખબારી યાદીમાં જણાવાયા પ્રમાણે, અમદાવાદ મેટ્રો ફેસ-1નું સમયપત્રક, જે પહેલા સવારે 9થી રાત્રે 8 વાગ્યા સુધીનું છે, તેને વધારવા માટે વિવિધ રજૂઆતો મળી હતી.
આજથી અમદાવાદ મેટ્રો રાતનાં 10 વાગ્યા સુધી દોડશે, જાણો બીજું શું બદલાયું?
આ સંદર્ભમાં વિશેષ કરીને વિદ્યાર્થીઓ તથા નોકરિયાતોને સવલત રહે તે ધ્યાને લેતા ગુજરાત મેટ્રો રેલ દ્વારા આજથી એટલે તારીખ 30મી જાન્યુઆરી, 2023ના રોજથી અમલમાં આવે તે રીતે હાલના 09થી રાતનાં 08ની સમય મર્યાદા વધારીને સવારે 7થી રાત્રે 10 સુધી હંગામી ધોરણે કરવાનો નિર્ણય કરાયો છે.
આજથી અમદાવાદ મેટ્રો રાતનાં 10 વાગ્યા સુધી દોડશે, જાણો બીજું શું બદલાયું?
હાલ માંગ જોતા પૂર્વ-પશ્ચિમમાં દર 18 મિનિટે અને ઉત્તર-દક્ષિણમાં દર 25 મિનિટે ટ્રેનની વ્યવસ્થા હતી. જેને મુસાફરોની સંખ્યા જોતાં તેનો દર 15 મિનિટ (પીક સમય)ના ગાળા સુધી કરવાની તૈયારી રાખેલ છે.