અમદાવાદ: કોરોના મહામારીને (corona pandemic) કારણે દિવસેને દિવસે પરિસ્થિતિ વકરતી જ જાય છે. કોરોનાના (Coronavirus) સંક્રમણને એક વર્ષ થઇ ગયું તો પણ વાયરસ જવાનું નામ નથી લેતો. જેના કારણે ગુજરાત સરકારે (Gujarat Government) ઓફલાઇન શિક્ષણ, શનિ-રવિ મોલ થિયેટર બંધ કરી દીધા છે. આ સાથે બીઆરટીએસ (BRTS) અને એએમટીએસની (AMTS) સેવાઓ પણ બંધ કરી દીધી છે. ત્યારે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો રિક્ષાનો (Rickshaw) જ સહારો લેવો પડી શકે છે. તો અનેક રિક્ષા ડ્રાઇવરો ભાડાંની રકમમાં લૂંટ ચલાવતા હોય તેવું સામે આવ્યું હતું. જે બાદ ટ્રાફિક પોલીસે (Traffic Police) 1095 હેલ્પલાઈન નંબર (helpline Number) જાહેર કર્યો છે. વધુ ભાડાં લેવાય તો આ નંબર પર ફોન કરવા અપીલ કરાઈ છે. (પ્રતિકાત્મક તસવીર)
જે રિક્ષાચાલક કાયદેસરના ભાડાંના નિયમોનો ભંગ કરશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે. આવા રિક્ષાચાલકને કોઈપણ યુનિયન ટેકો નહીં આપે. નોંધનીય છે કે, રિક્ષા ભાડાંની લૂંટ ચાલતી હોવાની ફરિયાદો મળતાં શહેર ટ્રાફિક પોલીસે તા. 20ના રોજ શહેરના વિવિધ ઓટો રિક્ષા ડ્રાઈવર યુનિયનની સંયુક્ત મિટિંગ યોજી હતી. આ મિટિંગમાં યુનિયનોએ સર્વસંમતિથી નિયત ભાડું લેવા તૈયારી દર્શાવવામાં આવી હતી. (પ્રતિકાત્મક તસવીર)
રાજ્યમાં શનિવારે મળતી માહિતી પ્રમાણે, કોરોના વાયરસના નવા 1565 કેસ નોંધાયા છે. જેની સામે 969 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 6 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4443 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.08 ટકા છે. અત્યાર સુધીમાં 28,36,204 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અને 5,92,712 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે 60 વર્ષથી વધારે વય ધરાવતા તેમજ 45થી 60 વર્ષ વયના ગંભીર બીમારી ધરાવતા 1,87,654 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. આ રસીના કારણે એકપણ ગંભીર આડઅસર જોવા મળી નથી. (પ્રતિકાત્મક તસવીર)
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 6 દર્દીના મોત થયા છે. અમદાવાદ, સુરતમાં 2-2, રાજકોટ અને વડોદરમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 283, સુરતમાં 298, વડોદરામાં 140, રાજકોટમાં 88, જામનગરમાં 29, ગાંધીનગરમાં 15, આણંદ, ભરુચ, કચ્છમાં 11 સહિત કુલ 969 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)