શહેરના ઠક્કરબાપા નગર વિસ્તારમાં શનિવારના દિવસે ભરબપોરે પાન મસાલાના હોલસેલ વેપારીને ત્યાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને લૂંટ ચલાવવામાં આવી હતી. બાદમાં બીજે જ દિવસે નિકોલના ઉમિયાચોકમાં ચાર લૂંટારુઓએ જ્વેલર્સના વેપારીને માર મારી રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત ની લૂંટ ચલવ્યા બાદ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના બાદ ઝોન ૫ ડીસીપી દ્વારા સોમવારે મોડી સાંજે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે તમામ શંકાસ્પદ ગતીવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.