અમદાવાદ : શહેરમાં (Ahmedabad) એક ગોઝારી ઘટના બની છે. શહેરનાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલ (Shrey Hospital) કે જે કોવિડના દર્દીઓની (Covid Hospital) સારવાર માટે એલોટ કરવામાં આવી હતી તેમાં મોડી રાતે આશરે 2.30 કલાકની આસપાસ ચોથેમાળે ભીષણ આગ (Massiv Fire) લાગવાની ઘટના સામે આવી છે. આ દૂર્ઘટનામાં આઇસીયુમાં સારવાર લઇ રહેલા 8 દર્દીઓ બળીને ખાખ થઇ ગયા છે. ત્યારે મૃતકોનાં સ્વજનોમાં ઘણો જ રોષ જોવા મળી રહ્યો છે. સ્વજનોને હૉસ્પિટલમાં ન જવા દેતા પોલીસ સાથે બોલાચાલી અને ઘર્ષણ પણ થયું હતું. સ્વજનોએ આક્રોષ સાથે પોતાની વ્યથા વર્ણવતા જણાવ્યું કે, આટલી મોટી દૂર્ઘટના સર્જાઇ ગઇ પરંતુ અમને તો ટીવી ચેનલોનાં માધ્યમથી આ ખબરની જાણ થઇ, આ હૉસ્પિટલે અમને કોઇ જ જાણ કરી નથી. (તસવીર - ઋત્વીજ પટેલ)
આ અંગે મૃતકના દર્દીના પરિવારજનોએ આક્રોષ ઠાલવતા જણાવ્યું કે, બે દિવસ પહેલા અમારી પાસેથી પાંચ લાખ જેટલુ બિલ લીધુ છે. જ્યારે બિલ ભરવાનું હોય ત્યારે જ અમને ફોન કરવામાં આવતા. પરંતુ અમારી દર્દીનું પૂછીએ તો કોઇ જાણકારી આપતા ન હતા. આટલી મોટી ઘટના બની છે તે અંગેની અમને કોઇ જ જાણ કરવામાં આવી નહીં. અમને સવારે ઉઠીને ટીવી ચેનલો દ્વારા ખબર પડે છે કે, અમારા સ્વજનો બળીને ખાખ થઇ ગયા છે.