રાજ્યમાં 9મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1329 નવા કેસ પોઝિટિવ (9 September Gujarat corona cases) નોંધાયા છે, જ્યારે 1336 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના (gujarat covid deaths) દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 108295એ પહોંચી ગયો છે.
ગાંધીનગરમાં 35, જૂનાગઢમાં 37, દેવભૂમિ દ્વારકામાં 18, મહિસાગરમાં 16, ગીરસોમનાથ-તાપીમાં 14-14, કચ્છ, સુરેન્દ્રનગર,વલસાડમાં 13-13, આમંદ, બનાસકાંઠામાં 12-12, ચોટાઉદેપુર, ખેડા, નવસારી અને સાબરકાંઠામાં 11-11., બોટાદમાં 9-, નર્મદામાં 8, અરવલ્લી-પોરબંદરમાં 7-7 કેસ નોંધાયા છે. કુલ 1329 દર્દી પોઝિટિવ છે.
આજે સરકાર 88,815 દર્દીઓનાં ટેસ્ટ કર્યા છે જ્યારે રાજ્યનો રિકવરી રેટ 82.01 ટકાએ પહોંચ્યો છે. જ્યારે અત્યારસુધીમાં કુલ 1336 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે અમદાવાદમાં 4, સુરતમાં 3, રાજકોટમાં 2, ગાંધીનગર1, મહીસાગરમાં 1, સુરેન્દ્રનગરમાં 1 અને વડોદરામાં2 મળીને કુલ 16 દર્દીનાં મૃત્યુ થયા છે. અહેવાલની તમામ તસવીરો પ્રતિકાત્મક તસવીરો છે.