અમદાવાદ : રાજ્યમાં છેલ્લા બે દિવસથી ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12.00 વાગ્.ા સુધઈમાં રાજ્યમાં 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદગ રાજકોટના ગોંડલમાં વરસ્યો છે. ગોંડલ તાલુકામાં 6 કલાકમાં ધમાકેદાર 6.2 ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે દેવભૂમિ દ્વારકામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે.
જ્યારે કચ્છના રાપરમાં 78,રાજકોટના જામકંડોરણામાં 79 એમ.એમ વરસાદ પડ્યો, સુરેન્દ્રનગરના મુળીમાં , ભુજ સહેરમાં અને માંડવીમાં 75 એમ.એમ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત દ્વારકામાં 74 એમ.એમ. મોરબીના વાંકાનેરમાં 69 એમ.એમ. કલ્યાણપુરમાં 68 એમ.એમ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત રાજ્યના 15 તાલુકામાં 2-2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.
સૌરાષ્ટ્રમાં મેઘરાજા અનરાધાર બેટિંગ કરી રહ્યાં છે. ત્યારે આજે સવારે મોરબીનાં ટંકારામાં માત્ર બે જ કલાકમા 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફલો થયો છે. મચ્છ-2 ડેમના 14 દરવાજા 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં 69 હજાર 552 ક્યુસેક પાણીની આવક થઇ છે. ત્યારે ડેમમાં ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો છે. તંત્ર દ્વારા લાઉડ સ્પીકર પર નદીના પટમાં અવરજવર ન કરવા સુચના આપવામાં આવી છે. આ સાથે ટંકારાનાં અમરાપુરનાં બે તળાવ તૂટતા ખેતરોમાં પાણી ભરાયુ છે.
રાજકોટની આજી નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા 1000થી 1200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉપરવાસ અને રાજકોટમાં વરસાદને કારણે આજી નદી ગાંડીતૂર થઇ છે. આજી ડેમની જળ સપાટી વધતા પાણી નદીમાં આવ્યું છે અને નદીનાં પાણી લોકોના ઘર સુધી પહોંચી જતા સ્થિતિ વણસી છે. જોકે, તંત્ર ગઇકાલે શનિવારથી લોકોને સ્થળાતંર કરાવી રહ્યું છે. હાલ રામનાથપરા, ભવાનીનગર વિસ્તારમાં વરસાદી પાણી આવી ગયા છે.