Home /News /world /Coronavirus: mRNA Vaccineથી મહિલાઓના માસિક ધર્મમાં પડી રહી છે ખલેલ? EUએ શરુ કરી તપાસ
Coronavirus: mRNA Vaccineથી મહિલાઓના માસિક ધર્મમાં પડી રહી છે ખલેલ? EUએ શરુ કરી તપાસ
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 18 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરા શહેરમાં 03, આણં જિલ્લામાં 01, ભરૂચમાં 01 એમ કુલ 23 નવા કેસ નોંધાયા હતા. આજે સતત ત્રીજા દિવસે અમદાવાદમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. અમદાવાદના પાલડીમાં આવેલી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (NID)માં સંક્રમણ ફેલાઈ જતા અમદાવાદના અને રાજ્યના કોરોનાના નવા કેસમાં વધારો થઈ રહ્યો છે.
mRNA Vaccine: કોવિડ -19 (COVID-19) રસી લીધા પછી માસિક ચક્ર (Menstrual Cycle)માં થોડા સમય માટે ફેરફાર જોવા મળ્યો હતો. એક અભ્યાસમાં, માસિક ચક્રને ટ્રેક કરતી સ્માર્ટફોન એપ્લિકેશન સાથે લગભગ 4,000 વપરાશકર્તાઓ પાસેથી ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હી. યુરોપિયન મેડિસિન્સ એજન્સી (European Medicines Agency)ની સલામતી સમિતિએ શુક્રવારે જણાવ્યું હતું કે ફાઇઝર (Pfizer) અને મોડર્ના (Moderna) કોરોના રસી લેનારી મહિલાઓમાં માસિક ધર્મમાં ખલેલના અહેવાલોની તપાસ કરવામાં આવી છે. કોરોનાની રસી લીધા બાદ માસિક સમયગાળા દરમિયાન મહિલાઓમાં વધુ પડતું લોહી આવવું કે માસિક સ્ત્રાવ બંધ થવાની ફરિયાદો ઉઠી છે.
એજન્સીએ જણાવ્યું હતું કે મેસેન્જર આરએનએ ટેકનોલોજી (messenger RNA technology)ના આધારે બેમાંથી કોઈ એક રસી આપ્યા પછી માસિક ધર્મમાં વિક્ષેપના અહેવાલોને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે મહિલાઓના માસિક ધર્મને લગતી સમસ્યાઓનો કોરોના રસીકરણ સાથે કોઈ સીધો સંબંધ છે કે નહીં.
ઇએમએએ જણાવ્યું હતું કે માસિક સ્રાવની સમસ્યાઓ મહિલાઓના સ્વાસ્થ્યની સ્થિતિ તેમજ તાણ અને થાકને કારણે થઈ શકે છે. કોવિડ-19થી સંક્રમિત મહિલાઓમાં આ પ્રકારની સમસ્યાના કેસ જોવા મળ્યા હતા. તાજેતરમાં જ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થે પણ આ માટે એક અભ્યાસ કર્યો હતો, જે મુજબ કોવિડ-19ની રસી લીધા બાદ ટૂંકા ગાળા માટે માસિક ચક્રમાં ફેરફાર જોવા મળ્યો હતો.
આ અધ્યયનમાં માસિક ચક્રને ટ્રેક કરતી સ્માર્ટફોન એપ્લિકેશનવાળા લગભગ 4,000 વપરાશકર્તાઓનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો, પરંતુ ઇએમએએ ડિસેમ્બરમાં કહ્યું હતું કે તેને માસિક ચક્રમાં ફેરફાર અને કોવિડ -19 રસીઓ વચ્ચે કોઈ સીધો સંબંધ મળ્યો નથી, જ્યારે નોર્વેમાં એક અભ્યાસ પછી કહેવામાં આવ્યું છે કે કેટલીક મહિલાઓને રસી લીધા પછી માસિક સ્રાવ દરમિયાન ભારે રક્તસ્રાવ થયો હતો.
જો કે, ઉપલબ્ધ પુરાવાઓની સમીક્ષા કર્યા પછી, ઇએમએની ફાર્માકોવિજિલન્સ રિસ્ક એસેસમેન્ટ કમિટી (પી.આર.એ.સી.) એ જણાવ્યું હતું કે તેણે દર્દીઓ, આરોગ્ય વ્યાવસાયિકો અને ક્લિનિકલ ટ્રાયલ્સના ડેટા સાથે પ્રકાશિત અહેવાલો સહિત તમામ ઉપલબ્ધ ડેટાની તપાસ કરવાનો નિર્ણય લીધો છે. એજન્સીએ શુક્રવારે કહ્યું હતું કે એવા કોઈ પુરાવા નથી કે કોવિડ -19 રસીઓ પ્રજનન ક્ષમતાને અસર કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર