Home /News /tech /EV fire: નિષ્ણાતોની સમિતિ આવતા અઠવાડિયે આપશે રિપોર્ટ, દોષિત કંપનીઓ સામે લેવાશે પગલાં

EV fire: નિષ્ણાતોની સમિતિ આવતા અઠવાડિયે આપશે રિપોર્ટ, દોષિત કંપનીઓ સામે લેવાશે પગલાં

હૈદરાબાદ, તેલંગાણામાં 11 મેના રોજ પ્યોર ઈવીમાં આગ લાગી હતી.

આ રિપોર્ટ અનેક EV આગની ઘટનાઓના આધારે તૈયાર કરવામાં આવશે, જેમાં Ola Electric, Okinawa Autotech, Pure EV જેવી ઘણી મોટી કંપનીઓના ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સામેલ હતા.

ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરમાં આગ લાગવાના કારણોની તપાસ માટે રચાયેલી કમિટી આવતા અઠવાડિયે રિપોર્ટ સબમિટ કરશે. આ સમિતિ આગની ઘટનાઓને ઘટાડવાના ઉપાયો અંગે પણ તેમના સૂચનો આપશે. આ રિપોર્ટ અનેક EV આગની ઘટનાઓના આધારે તૈયાર કરવામાં આવશે, જેમાં Ola Electric, Okinawa Autotech, Pure EV જેવી ઘણી મોટી કંપનીઓના ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સામેલ હતા. આગની વધતી જતી ઘટનાઓને જોતા કેન્દ્ર સરકારે માર્ચમાં નિષ્ણાત સમિતિની રચના કરી હતી.

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH) એ આગની ઘટનાઓની તપાસ માટે સેન્ટર ફોર ફાયર એક્સપ્લોઝિવ એન્ડ એન્વાયરમેન્ટ સેફ્ટી (CFEES) ને નિયુક્ત કર્યા હતા. CFEES DRDO લેબના સિસ્ટમ એનાલિસિસ એન્ડ મોડેલિંગ (SAM) ક્લસ્ટર હેઠળ આવે છે. સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા એક સરકારી અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, "ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરમાં આગ લાગવાની ઘટનાઓની તપાસ કરવા માટે રચવામાં આવેલી નિષ્ણાત સમિતિ 30 મેના રોજ પોતાનો રિપોર્ટ આપશે."

કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે
આ પહેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે તપાસમાં દોષિત ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર ઉત્પાદકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, “અમે નિષ્ણાત સમિતિના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે તેની પાછળનું કારણ શું છે? તે અહેવાલના આધારે, અમે ઉત્પાદક સામે યોગ્ય પગલાં લઈશું."

આ પણ વાંચો- શું ફરીથી રસ્તાઓ પર દોડતી જોવા મળશે Tata NANO, ચર્ચામાં છે નેનોનો ઇલેક્ટ્રિક અવતાર

પહેલો કેસ માર્ચમાં આવ્યો હતો સામે
ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાનો પહેલો કેસ આ વર્ષે માર્ચમાં નોંધાયો હતો. પુણેમાં ઓલા ઈલેક્ટ્રિક S1 પ્રો સ્કૂટરમાં આગ લાગી હતી. આ ઘટનાનો વીડિયો ઘણો વાયરલ થયો હતો. આ પછી દેશના ઘણા શહેરોમાં ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાના સમાચાર આવ્યા છે.આ ઘટનાઓમાં એક વૃદ્ધનું પણ મોત થયું છે, આ સિવાય ઘણા લોકો ઘાયલ પણ થયા છે. સલામતીના મુદ્દાઓ પર ટીકાઓ વચ્ચે કેટલાક EV ઉત્પાદકોને તેમના ઉત્પાદનો પાછા બોલાવવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો- Electric Vehiclesમાં આગની ઘટનાઓ પર Heroનું નિવેદન, કહ્યું- સલામતી સૌથી મહત્વપૂર્ણ છે

ઝડપથી વિકસતું ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટ
ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટના એવા સમયે બની છે જ્યારે ભારતમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. EV ટુ-વ્હીલર સેગમેન્ટમાં છેલ્લા મહિનામાં 370 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. માર્ચમાં લગભગ 50,000 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના વેચાણ સાથે, એપ્રિલ, 2021 અને ગયા મહિને ભારતમાં 2.31 લાખ EV ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું. પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં, EV ટુ-વ્હીલરના વેચાણમાં 564 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
First published:

Tags: Auto, Central Goverment, Electric vehicle

विज्ञापन