Home /News /surendranagar /સાળી સાથે મૈત્રી કરારનો કરુણ અંત, માતા-પુત્રે ગળેફાંસો ખાધો, પિતરાઇએ ટ્રેન નીચે પડતું મૂક્યું

સાળી સાથે મૈત્રી કરારનો કરુણ અંત, માતા-પુત્રે ગળેફાંસો ખાધો, પિતરાઇએ ટ્રેન નીચે પડતું મૂક્યું

ત્રણના મોતથી પરિવાર શોકમગ્ન

Surendranagar suicide: સાળી સાથે મૈત્રી કરારનો કરુણ અંત, સુરેન્દ્રનગરના ભગૂપુર ગામે રહેતા માતા અને પુત્રએ ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, પિતરાઈ ભાઈએ ટ્રેન નીચે પડતું મૂક્યું

  • News18 Gujarati
  • Last Updated :
  • Surendranagar, India
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના ભગૂપુર ગામે રહેતા માતા અને પુત્રએ ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. આત્મહત્યા કરનાર યુવકને એક યુવતી સાથે મૈત્રી કરાર થતા યુવતીના પરિવારજનોએ ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને કારણે આપઘાત કરી લીધા હોવાનો આક્ષેપ લાગ્યો છે. ત્યાર બાદ પિતરાઈ ભાઈએ પણ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી છે. એક જ પરિવારના 3 લોકોના મોત થતા પરિવારમાં શોકની લાગણીનો માહોલ છે. જ્યાં સુધી યુવતી અને તેના પરિવારજનો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાનું પરિવારજનો કહી રહ્યા છે. જેને કારણે ચુડા ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

કાર્યવાહી કરવામાં નહીં આવે તો લાશનો સ્વીકારવાનો ઇન્કાર

ચુડા તાલુકાના ભગૂપુર ગામે રહેતા માતા અને પુત્રએ ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા મોત નિપજ્યું છે. યુવતી સાથે મૈત્રી કરાર બાદ યુવતીના પરિવારજનો અને સંબંધીઓ શારીરિક અને માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ છે. માતા અને પુત્રની આત્મહત્યા બાદ પિતરાઈ ભાઈએ પણ ટ્રેન નીચે પડતું મૂકી મોતને વહાલું કરતા કુલ ત્રણ વ્યક્તિએ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી છે. યુવતી અને તેના પરિવારજનો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો લાશનો સ્વીકારવાનો પરિવારજનોએ ઇન્કાર કર્યો છે. એક જ પરિવારના માતા, પુત્ર અને પિતરાઈ ભાઈના મોતથી શોકની લાગણી ફેલાઈ છે. સાથે જ ચૂડા ખાતે એલસીબી, ડીવાયએસપી, એસઓજી સહિતનો પોલીસ કાફલો બંદોબસ્તમાં ગોઠવાયો છે.


આ પણ વાંચો: પતંગ ચગાવતા માતા-પુત્રીનું ચોથા માળેથી પટકાતા મોત

બે મહિના અગાઉ સાળી સાથે મૈત્રી કરાર કર્યા

ચુડાના ભૃગુપુરના લક્ષ્મણભાઇ ગોવિંદભાઇ પરમાર અમદાવાદના બાપુનગરમાં રહેતા હતા. 16 વર્ષ પહેલા લક્ષ્મણભાઇના લગ્ન શારદાબેન સાથે થયા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી લક્ષ્મણભાઇની તેમની સાળી પાયલબેન સાથે આંખ મળી ગઇ હતી. તેમણે બે મહિના અગાઉ પાયલબેન સાથે મૈત્રી કરાર કર્યા હતા. જે પાયયબેનના પરિવારને મંજૂર નહોતા.

માતા-પુત્ર અને પિતરાઇએ કેમ કર્યો આપધાત?

લક્ષ્મણભાઇ તેમના માતા પ્રેમ બેન અને પાયલબેન સાથે વતન રહેવા આવ્યા ત્યારે અમદાવાદથી આવેલા શખ્સોએ પ્રેમબેનને માર માર્યો હતો. જ્યારે લક્ષ્મણભાઇના સાઢુ ચેતનભાઇ પરમાર તેનું અપહરણ કરી લઇ ગયો હતો. આ વાતને લઇને ગભરાઇ ગયેલા માતા-પુત્ર પ્રેમબેન અને લક્ષ્મણભાઇએ ગળેફાંસો ખાઇ આપધાત કરી લીધો હતો. આ સાથે જ લક્ષ્મણભાઇના પિતરાઇ કાનજીભાઇને પણ તેમના સાસરી પક્ષે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેના લીધે કાનજીભાઇએ ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું.
First published:

Tags: Gujarat News, Suicide case, Surendranagar Crime

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો