Home /News /surat /સુરતમાં 70થી વધુ ઓવર બ્રિજ બે દિવસ માટે રહેશે બંધ, સલામતી માટે લેવાયો નિર્ણય
સુરતમાં 70થી વધુ ઓવર બ્રિજ બે દિવસ માટે રહેશે બંધ, સલામતી માટે લેવાયો નિર્ણય
બ્રિજને છેડે પોલીસ અને ટીઆરબી જવાનો તૈનાત કરાયા
Surat News: સુરતમાં 70થી વધુ ઓવર બ્રિજ બે દિવસ માટે રહેશે બંધ. ઉત્તરાયણને લઈ જાનહાનિ ન થાય તે માટે લેવાયો નિર્ણય. સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી બ્રિજ રહેશે બંધ. બ્રિજને છેડે પોલીસ અને ટીઆરબી જવાનો તૈનાત કરાયા
સુરત: આજે રાજ્યમાં ભારે ઉત્સાહ સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે જ તંત્ર દ્વારા લોકોને સાવચેતી સાથે સેફ ઉત્તરાયણ મનાવવાની અપીલ કરવામાં આવી રહી છે. આવામાં સુરત શહેરમાં લોકોની સલામતીને લઇને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં 70થી વધુ ઓવર બ્રિજ બે દિવસ માટે બંધ રહેશે. ઉત્તરાયણને લઈને જાનહાનિ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી બ્રિજ બંધ રહેશે. આ સાથે જ બ્રિજના છેડે પોલીસ અને ટીઆરબી જવાનો તૈનાત કરાયા છે.
પતંગની દોરીથી કોઈનું ગળું કપાય નહીં તે માટે નિર્ણય
પતંગની દોરીના લીધે વાહનચાલકોને અકસ્માત નડતાં હોય છે, આવામાં કોઇ દુર્ઘટના ન બને તે માટે સુરતમાં બે દિવસ માટે બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં આવેલા ઓવર બ્રિજ આજે અને આવતી કાલે ટુ વ્હીલર માટે બંધ રહેશે. આ સાથે જ બ્રિજના બન્ને છેડે પોલીસ હોમગાર્ડ અને ટીઆરબી જવાન તૈનાત કરવામાં આવ્યા છે. પતંગ દોરી કોઈ નુકસાન નહીં થાય તે માટે 70 કરતાં વધુ બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. આ બ્રિજ સવારે 8થી રાત્રે 8 સુધી બંધ રહેશે. પતંગની દોરીથી કોઈનું ગળું કપાય નહીં તે માટે તંત્ર અને પોલીસ વિભાગે આ નિર્ણય લીધો છે.
બીજી બાજુ, આજે સવારથી જ સુરતમાં ઉત્તરાયણને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજથી બે દિવસ રાજયમાં રંગેચંગે મકરસંક્રાતિની ઉજવણી કરવામાં આવશે. સુરતમાં લોકો પરિવાર સાથે અગાશી પર ઊંધિયા પાર્ટી કરશે. ઊંધિયા માટે જાણીતી સુરતની દુકાનોમાં આજે કરોડોની કિંમતનું ઉંધિયું વહેંચાશે. ઉંધિયું બનાવવા માટે વેપારીઓએ ગતરાતથી જ તૈયારીઓ શરુ કરી દીધી હતી. સવારથી જ લોકો ઉંધિયાની ખરીદી માટે દુકાનો બહાર લાઇનો લગાવતા જોવા મળી રહ્યા છે.