Home /News /surat /Surat : બિઝનેસ નહીં, ગૌપાલન કરી આ પરિવાર બન્યો લખપતિ, રોજ 170 લીટર દૂધ થાય ભેગું!

Surat : બિઝનેસ નહીં, ગૌપાલન કરી આ પરિવાર બન્યો લખપતિ, રોજ 170 લીટર દૂધ થાય ભેગું!

સમગ્ર પરિવાર ગીર ગાયની સેવા કરી રહ્યો છે.

માંડવીમાં આવેલી ગૌ શાળાના સંચાલન કરતાં પરિવારએ ગૌ પાલન અને અન્ય તેનાથી મળતી પેદાશોથી વર્ષે 25 લાખની કમાણી કરી છે.

    Nidhi Jani, Surat : આજકાલ યુવાઓને ગૌ પાલન કરવાનું એ ઘરમાં કૂતરા કે બિલાડી રાખવા જેટલું ફેન્સી નહી લાગતું હોય.ગૌ પાલનથી યુવાઓ દૂર જઈ રહયા છે.પરંતુ ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા ગણવામાં આવી છે. તેનું પૂજન કરવામાં આવે છે, ગાયનું છાણ, ગૌ મૂત્ર, એ કેટલાય રોગોને દૂર કરી શકે છે. પૃથ્વી માટે શ્રેષ્ઠ ખાતર છે ગાયનું છાણ. આ બધા ઉપરાંત ગાય આપણને જે દૂધ આપે છે તે બોનસ છે. માંડવીમાં આવેલી ગૌ શાળાના સંચાલન કરતાં પરિવારએ ગૌ પાલન અને અન્ય તેનાથી મળતી પેદાશોથી વર્ષે 25 લાખની કમાણી કરી છે.ગૌ પાલન એ કમાણી કરવા માટેનું સાધન નથી. ગાયની સેવા કરવાથી કેટલાય પુણ્ય મળે છે. તેવી વાત કરતાં પરિવારના વહુ જમનાબેન નકુમ ન્યુઝ 18 ને જણાવે છે કે તેમની ગૌશાળામાં 65 જેટલી ગાય આવેલી છે.આ બધી ગાયો ની સેવા કરવાથી તેમના પરિવારમાં આજે એક પણ રોગ નથી. ચાર ભાઈ અને સાસુ - સસરાવાળા એક મોટા અને સંયુક્ત કુટુંબમાં બધા જ ગૌ પાલન સાથે સંકળાયેલા છે.ગાય રોજ 170 લિટર દૂધ આપે છે.

    વ્હાલ સાથે બધી ગાયોની કાળજી રાખવામાં આવે છે

    વ્યક્તિમાં આવડત હોય અને કંઈક કરવાની ચાહ હોય તો તે પોતાની અગવડને પણ સગવડમાં ફેરવી શકે છે, કઠોર પરિશ્રમ કરવાથી પણ ગભરાતા નથી, ભણતર વધુ ન હોવા છતાં કુશળતા અને ખંતપૂર્વક કામ કરીને એક સારી એવી રકમ કમાવવું જેને સરળ બનાવ્યું તેવા જમનાબેન અને તેમના પરિવાર પાસેથી આપણે પણ પરિશ્રમના પાઠ શીખવા જેવા છે.



    તુકેદ, માંડવી પાસે આવેલી ગૌશાળામાં તેમની પાસે રહેલી ૬૫ ગાયોને ક્યારેય તેમને કમાવવાનું સાધન નથી ગણતા અને તેને પૂજનીય ગણીને તેની ભરપૂર સેવા અને વ્હાલ સાથે બધી ગાયોની કાળજી રાખવામાં આવે છે.બધી જ ગાયો માટે તેમને પોતાની જ જમીન પર ૯ વીધા જેટલું જમીનમાં માત્ર ગાય માટે ચારો જ બનાવે છે જે પણ ઓર્ગેનિક પદ્ધતિથી બનાવાય છે. આમ 24 કલાક સાચવેલી અને એક યોગ્ય ખોરાક પૂરો પાડીને બધી ગાયો ખુબ સારું દૂધ આપે છે.



    ગાયની આવી રીતે કરે છે સેવા-ચાકરી

    સવા વીઘા જેટલી જગ્યામાં ગૌશાળા બનેલી છે, જેમાં ગાયને ખુબ સારા પ્રાકૃતિક રીતે તૈયાર કરેલા કાચા શેડમાં અને ખુલ્લી જગ્યામાં રાખવામાં આવે છે.ગાયને થતી નાની મોટી બીમારી તેમને તરત ખબર પડી જાય છે, જેની અમુક દવાઓ તો તેઓ સાથે જ રાખે છે, નાના મોટા ઘા માટે જાતે જ હળદર અને માખણ ભેગું કરીને લગાવે છે જેથી તેને જખ્મ સારો થઇ જાય. આ ઉપરાંત તાવ આવી ગયો હોય તો થર્મોમીટરથી માપીને તેની પણ દવા કરાવે જ છે, જો વધારે બીમારી હોય તો તરત ડોક્ટર પાસે સારવાર પણ કરાવી લે છે.



    પ્રાકૃતિક ખેતી અને પશુપાલનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે

    જમનાબેન એ પોતે ઘડિયાળની સામે જોઈને જ આખા દિવસનો સમય વિતાવે છે. ત્યારે તેઓ એક સાથે કેટલા બધા કામો કરતા રહે છે, ઘરનું કામ, ગૌશાળાનું કામ, બાળકોનો ઉછેર,ખેતીમાં મદદ, દૂધના પેકીંગ બનાવવાનું હોય કે પછી દૂધમાંથી બનતી કોઈ પ્રોડક્ટ આ બધું કાર્ય બાદ પણ તેઓ સ્વાધ્યાય પરિવારમાં જોડાયેલા હોવાથી, તેમાં પણ સમય આપે છે.



    તેમને બાળકોને પણ આ તરફ વાળીને તેમનામાં પણ આધ્યાત્મિકતાના બીજ રોપ્યા છે.જેથી તેઓ પણ બાળસંસ્કાર કેન્દ્ર અને યુવા સંસ્કાર કેન્દ્રમાં જાય છે. જમનાબેન આજકાલના યુવાઓને પણ મહેનત કરવાની સલાહ આપે છે અને પ્રાકૃતિક ખેતી અને પશુપાલનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે.
    First published:

    Tags: Cow, વેપાર

    विज्ञापन