સુરત : :શહેર જિલ્લામાં કોરોનાવાયરસ યથાવત રહ્યું છે. પોઝિટિવ કેસોની સંખ્યા ઘટાડો થવાનું નામ લેતી નથી.સાથે શહેરમાં રાંદેર અને અઠવા ઝોનમાં વધુ કોરોના કેસ આવવાનું યથાવત છે. સોમવારે સુરતમાં ૧૧૫ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેર-જિલ્લામાં કુલ પોઝિટિવની સંખ્યા ૨૦,૮૭૨ થઇ છે. કોરોનાને કારણે મોતની સંખ્યાનો કુલ મૃતાંક ૮૧૧ ઉપર પહોંચ્યો છે. કોરોનાને મ્હાત આપી અત્યાર સુધીમાં ૧૭,૦૭૯ લોકો ઘરે પરત ફર્યા છે.
સુરત શહેર અને જીલ્લામાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થાય તે માટે તંત્ર અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.તેમ છતાં કોરોનાનો કહેર જોવા મળી રહયો છે. ખાસ કરીને શહેરના કતારગામ, અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા ઓછી થવાના બદલે વધી રહી છે. તે દરમ્યાન સોમવારે બપોર સુધી સુરત શહેરમાં ૭૧ કેસ નોધાયા છે. આ સાથે શહેરમાં ૧૬,૩૬૫ કેસો નોધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં પણ કેસો ઘટી રહ્ના છે. બપોર સુધીમાં ૪૪ કેસ નોધાયા છે. આ સાથે જીલ્લામાં પણ કોરોનાનો પોઝીટીવ આંક ૪,૫૦૭ કેસો નોધાયા છે.
આમ સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ આંક ૨૦,૮૭૨ પર પહોચ્યો છે. જયારે અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ રખાયેલા ૮૧૧ દર્દીઓ કોરોના સામે જિંદગી હારી ચૂક્યા છે. આ ઉપરાંત કોરોનાને મ્હાત આપી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્ના છે. અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ૧૭,૦૭૯ દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. આ ઉપરાંત સુરત મહાનગર પાલિકા સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવનાર, માસ્ક ન પહેરનારા અને સેનેટાઇઝરનો ઉપયોગ ન કરનારાઓને રોજેરોજ દંડ કરી રહી છે.
અત્યાર સુધી પાલિકાએ સેંકડોની સંખ્યામાં લોકો પાસેથી દંડ વસુલ કર્યો છે. નવા નોધાયેલા કેસોમાં સરકારી કર્મચારીઓ, કાપડના વેપારી સહિત ટેક્ષટાઈલ સાથે સંકળાયેલા કર્મચારીઓ, રત્નકલાકાર તેમજ અન્ય ધંધાના વ્યવસાઈઓ સહિત અનેકના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એક તરફ કોરોના સંક્રમિત કેસોની સંખ્યા શહેર-જિલ્લામાં ઘટવાનું નામ લેતી નથી બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા અનલોક-૪ ની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે અને આવતીકાલથી કેટલીક છૂટછાટો સાથે તેનો અમલીકરણ પણ થનાર છે.