Home /News /surat /Surat News: સુરતની રામકૃષ્ણ એક્સપોર્ટ્સે 1000 કર્મીઓને સોલાર રૂપટોપ આપવાની જાહેરાત કરી, રિન્યુએબલ એનર્જી વાપરવા પ્રોત્સાહન

Surat News: સુરતની રામકૃષ્ણ એક્સપોર્ટ્સે 1000 કર્મીઓને સોલાર રૂપટોપ આપવાની જાહેરાત કરી, રિન્યુએબલ એનર્જી વાપરવા પ્રોત્સાહન

સુરતની એક કંપનીએ કર્મચારીઓને સોલાર રૂફટોપ ગિફ્ટમાં આપ્યાં.

સુરતઃ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ્સના ક્ષેત્રે જાણીતી કંપની રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે દિવાળીની ઉજવણી પ્રસંગે તેના 1,000 કર્મચારીઓને સોલાર રૂફટોપ પેનલ્સ ભેટમાં આપવાની જાહેરાત કરી હતી.

સુરતઃ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ્સના ક્ષેત્રે જાણીતી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે આજે ‘Pure Diwali Get Together’ (દિવાળી સ્નેહમિલન)ની ઉજવણી પ્રસંગે તેના 1,000 કર્મચારીઓને સોલાર રૂફટોપ પેનલ્સ ભેટમાં આપવાની જાહેરાત કરી હતી.

કંપનીના વર્કર્સને બિરદાવવા અનોખી પહેલ


SRK Exports  કંપની તેના કર્મચારીઓને પરિવારના સભ્યો જ ગણે છે. કાર્યની કદરના ભાગરૂપે પર્યાવરણની જાળવણી પ્રત્યે જાગૃતતા કેળવવા માટે SRK Exports તેના કર્મચારીઓને ઘરે ‘રીન્યુએબલ એનર્જી’નો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપે છે. SRK એક્સપોર્ટ્સના ફાઉન્ડર- ચેરમેન ગોવિંદકાકાએ જણાવ્યુ હતુ કે, ‘SRK કંપનીએ હંમેશાં સમાજ અને પર્યાવરણને કંઇક પરત આપવા પ્રયાસ કર્યા છે. કંપનીની વિચારધારાએ SRKને વૈશ્વિક સ્તરે વિશ્વાસપાત્ર અને સન્માનીય લીડર બનવા સક્ષમ બનાવી છે. સ્ટાફ મેમ્બર્સનું ટિમ વર્ક, સાથ-સહકારની ભાવના વગર આ સફળતા શક્ય બનતી નથી.’

આ પણ વાંચોઃ ખેડૂતોને મળી શકે છે દિવાળી ગિફ્ટ

શહીદોને સોલાર રૂફટોપ આપવાની જાહેરાત કરી હતી


આ ઉપરાંત SRK એક્સપોર્ટ્સના પાર્ટનર જયંતી નારોલાએ જણાવ્યું હતું કે, ‘SRK હંમેશા તેના પરિવારના સભ્યો સાથે-સાથે પર્યાવરણની સુરક્ષા અને સલામતીને મહત્ત્વ આપે છે અને એટલે જ દિવાળીની ઉજવણીના પ્રસંગે કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠા અને સિદ્ધિઓને બિરદાવવા આ ભેટ આપી રહ્યા છે.’ SRK એક્સપોર્ટ્સની સમાજ કલ્યાણની શાખા SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF) દ્વારા ઓગસ્ટમાં આવી જ રીતે 750 શહીદ સૈનિકો અને બીજા વીર જવાનો (કોરોના વોરિયર્સ) ઘરે સોલર રૂફટોપ આપવાની જાહેરાત કરી હતી અને ગોવિંદકાકાના વતન દુધાળા ગામને 100% સોલાર ઉર્જાથી સજ્જ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ આ બિઝનેસમેને કર્મચારીઓને કરોડો રૂપિયાની દિવાળી ગિફ્ટ આપી

છ વર્ષ વહેલાં સિદ્ધિ મેળવી


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર અને સોલાર ભારતના સપનાને સપોર્ટ કરવાની ભાવના તથા વિશ્વમાં ESG અમલ કરતી કંપનીઓમાં અગ્રણી બનવા અને આ નેતૃત્વને મજબૂત કરવા માટે ગ્લોબલ નેટવર્ક ફોર ઝીરો સાથેની ભાગીદારી કરીને આ સાહસિક શરૂઆત કરી છે. સાથે સાથે SRK કંપનીએ ભારતના વર્ષ 2030 સુધીમાં આ સિદ્ધિ હાંસલ કરવાના લક્ષ્ય કરતાં છ વર્ષ વહેલાં એટલે કે 2024 સુધીમાં તેની બંને ડાયમંડ ક્રાફ્ટિંગ બિલ્ડીંગ માટે ઝીરો એમીશન સુધી પહોંચવાનો સંકલ્પ લીધો છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Diwali Gift, Surat Latest News, Surat news