સુરતઃ લીંબાયત વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીના (mithi khadi) કારણે છેલ્લા એકાદ મહિનામાં પાંચ વાર પૂરની (flood) સમસ્યા સર્જાઈ હતી. ત્યારે મીઠી ખાડીની આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે ઉભા કરાયેલા માર્કેટ સહિતના બાંધકામો તોડવી પાડવા માટે મોર્ચો લઈને નીકળેલા શિવશક્તિ-ભીમશક્તિ-માઈનોરિટી ફાઉન્ડેશનના નેતાઓ સહિતના કાર્યકરોની પોલીસ (police) દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે આ વર્ષે શહેરમાં પાંચ વાર ખાડી પૂરનું સંકટ સર્જાયું હતું. ત્યારે લીંબાયત સહિતના વિસ્તારોમાં ખાડી પૂર માનવસર્જીત હોવાની રાવ સાથે શિવશક્તિ-ભીમશક્તિ-માઈનોરિટી ફાઉન્ડેશન દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
ખાડીની આસપાસના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે આંદોલન કરવામાં આવ્યું હતું. આદોલન દરમિયાન પોલીસ દ્વારા આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. શિવશક્તિ-ભીમશક્તિ-માઈનોરિટી ફાઉન્ડેશનના પ્રમુખ સુરેશ સોનવણેએ જણાવ્યું હતું કે, આ મીઠી ખાડીના પ્રશ્ન અંગે અમે અગાઉ ક્લેક્ટરને રજૂઆત કરી હતી. ક્લેક્ટર દ્વારા કોઈ પગલાં ન લેવામાં આવતાં આજે અમે આ બાંધકામો તોડી પાડવા નીકળ્યાં હતાં.
વારંવાર આવતું પૂર કુદરતી નહીં પરંતુ માનવસર્જીત છે. જેથી અમે ખાડીઓની પહોળાઈ વધારીને પૂરની સ્થિતિ અટકાવવા માટે રજૂઆત કરી હતી પરંતુ કોઈએ ધ્યાને ન લેતા અમે આજે મજબૂર થઈને નીકળ્યા હતાં.
" isDesktop="true" id="1021050" >
અગાઉ કોંગ્રેસ દ્વારા પણ ખાડી કિનારે ઉભા કરી દેવામાં આવેલા મોટા મોટા ટાવરને લઈને વારંવાર સ્થાનિક લોકો પુરનો સામનો કરી રહ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા હતા ત્યારે આજે દલિત આગેવાનો સાથે સ્થાનિક લોકોએ મોરચો માંડયો હતો પરંતુ રેલી સ્વરૂપે વિરોધ થાય તે પહેલાં જ પોલીસે તમામની અટકાયત કરી હતી.