Home /News /surat /Surat: અહીં એક માત્ર પંચદેવી મંદિર, આ માતાજી બિરાજમાન, આવી છે માન્યતા  

Surat: અહીં એક માત્ર પંચદેવી મંદિર, આ માતાજી બિરાજમાન, આવી છે માન્યતા  

X
સુરતમાં

સુરતમાં પંચદેવી મંદિર આવેલું છે. અહીં મેલડી માતા, દશા મા, મહાલક્ષ્મી મા,મહાકાળી મા અને અંબે મા બિરાજે છે. આઠમનાં અહીં ભાવિકો ઉમટી પડે છે.

સુરતમાં પંચદેવી મંદિર આવેલું છે. અહીં મેલડી માતા, દશા મા, મહાલક્ષ્મી મા,મહાકાળી મા અને અંબે મા બિરાજે છે. આઠમનાં અહીં ભાવિકો ઉમટી પડે છે.

Mehali tailor, surat: સુરતમાં દરેક માતાના મંદિરમાં આજે ચૈત્રી નવરાત્રીની આઠમની પૂજા કરવમાં આવે છે. આઠમનું મહત્વ સુરતના પંચદેવી મંદિરમાં પણ ઘણું હોય છે.સુરતમાં એક માત્ર મંદિર જેમાં 5 માતા એક સાથે બિરાજમાન છે. જેથી તેને પંચદેવી મંદિર કહેવામાં આવે છે. આ મંદિરમાં મેલડી માતા, દશા મા, મહાલક્ષ્મી મા,મહાકાળી મા અને અંબે મા એમ પાંચેય દેવીને એક સાથે બિરાજમાન કરવામાં આવે અને આ પાંચેય દેવીની એક સાથે પૂજા કરવામાં આવે છે. આ એક માત્ર મંદિર સુરતમાં છે. ત્યારે લોકોની માન્યતા છે કે, આ મંદિરમાં પાંચેય દેવી એક સાથે બિરાજમાન હોવાથી તે ઘણીજ પવિત્ર જગ્યા છે. ત્યારે આ મંદિરમાં પણ આઠમની વિશેષ પૂજા કરવામાં આવે છે.


મંદિરમાં માતાજી તાવો વિધિ કરવામાં આવે છે
આ સિવાય આ મંદિરમાં માતાજીની માનતા રાખી એક વિશેષ વિધિ કરવામાં આવે છે. આ વિધિ છે તાવો વિધિ. કહેવાય છે જયારે કોઈ વ્યક્તિની કોઈ પણ કાર્ય પૂરું કરવાની માનતા મને છે. ત્યારે અહીંયા માતાજી તાવો વિધિ કરવામાં આવે છે. આ તાવો વિધિ એટલે કે ગરમ તાવના તેલમાંથી પુરીને હાથ વડે જ બનાવવામાં આવે છે. પુરીને તેલમાંથી બહાર કાઢવા માટે કોઈ પણ સાધન વાપરવામાં આવતું નથી. ત્યારે આઠમના દિવસે પણ આ તાવો વિધિ કરવામાં આવે છે.અને દર રવિવારે અહીંયા બપોરે 2 વાગ્યા સુધી આ તાવો વિધિ કરવામાં આવે છે.


માતાનું શીશ બિરાજમાન કરવામાં આવે છે
આ મંદિરમાં બીજા પણ માતા મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા છે અને સમયાંતરે માતાનું સ્થાન પણ બદલવામાં આવે છે. શારદા નવરાત્રીમાં આ મંદિરમાં માતાનું સ્થાન બદલી માતાનું શીશ બિરાજમાન કરવામાં આવે છે. 9 દિવસ તેના માથે ગરબી મુકવામાં આવે છે. નવરાત્રીમાં આઠમના દિવસે અહીંયા ખાસ હવનનું પણ આયોજન કરવામાં આવે છે. ગુજરાતની બહારથી પણ લોકો આ મંદિરમાં પોતાની માનતા પુરી કરવા આવે છે.
First published:

Tags: Local 18, Surat news