Home /News /surat /સુરતઃસુરેશ પ્રભુનો વિરોધ કરનારા 12 કોંગ્રેસીઓની અટકાયત,વિરોધમાં ધરણા

સુરતઃસુરેશ પ્રભુનો વિરોધ કરનારા 12 કોંગ્રેસીઓની અટકાયત,વિરોધમાં ધરણા

સુરતઃસુરતમાં ગઇકાલે આવેલા રેલવે પ્રધાન સુરેશ પ્રભુને કોંગ્રેસી કાર્યકરોએ ચકમો આપીને ગળામાં કાળા કલરની માળા પહેરાવી અને ખિસ્સામાં લોલીપોપ મુકી હતી. જેને લઇ આજે અઠવા પોલીસે 12 જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી છે.પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરતાં કોંગ્રેસીઓ ધરણાં પર બેઠા છે.ચોક બજાર ગાંધી પ્રતિમા ખાતે કોંગ્રેસી કાર્યકરો ધરણાં પર બેઠા છે.ગાંધી પ્રતિમા ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

સુરતઃસુરતમાં ગઇકાલે આવેલા રેલવે પ્રધાન સુરેશ પ્રભુને કોંગ્રેસી કાર્યકરોએ ચકમો આપીને ગળામાં કાળા કલરની માળા પહેરાવી અને ખિસ્સામાં લોલીપોપ મુકી હતી. જેને લઇ આજે અઠવા પોલીસે 12 જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી છે.પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરતાં કોંગ્રેસીઓ ધરણાં પર બેઠા છે.ચોક બજાર ગાંધી પ્રતિમા ખાતે કોંગ્રેસી કાર્યકરો ધરણાં પર બેઠા છે.ગાંધી પ્રતિમા ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

વધુ જુઓ ...
    સુરતઃસુરતમાં ગઇકાલે આવેલા રેલવે પ્રધાન સુરેશ પ્રભુને કોંગ્રેસી કાર્યકરોએ ચકમો આપીને ગળામાં કાળા કલરની માળા પહેરાવી અને ખિસ્સામાં લોલીપોપ મુકી હતી. જેને લઇ આજે અઠવા પોલીસે 12 જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી છે.પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરતાં કોંગ્રેસીઓ ધરણાં પર બેઠા છે.ચોક બજાર ગાંધી પ્રતિમા ખાતે કોંગ્રેસી કાર્યકરો ધરણાં પર બેઠા છે.ગાંધી પ્રતિમા ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.પ્રદીપ ભરવાડ, ચદ્રેશ કાછડિયા સહિત 12 લોકોની અટકાયત થઇ હતી. તમામને મોડી સાંજે 15 હજારના બોન્ડ પર કોર્ટે મુક્ત કર્યા છે.

    cong surat

    રેલવે મંત્રી ગુજરાતના સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી બિલ્ડીંગના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. ત્યારે 60જેટલા પ્રદર્શનકાકરીઓએ આયોજન સ્થળ બહાર જમા જઇ મંત્રી પાસે પહોચ્યા હતા. કોંગ્રેસી કાર્યકરોએ રવિવારે મંત્રી સુરેશ પ્રભુના ગળામાં કાળા કપડાનો હાર પહેરાવી દીધો હતો પાર્ટીના કાર્યકર્તા ભાજપ સમર્થક બની પોલીસને ચકમો આપી આ પ્રભુ જોડે પહોચી ગયા હતા. અને કાળુ કપડુ સુરેશ પ્રભુના ગળામાં પહેરાવી દીધુ હતું.

    કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે ગાંધી પ્રતિમા પાસે ધરણા કરી ન્યાય ની માંગણી કરી હતી અને રાયોટિંગની કલમ હટાવી દેવામાં આવે તેવી માંગણી પણ કરી હતી. ધરણા સમયે સુરત કોંગ્રેસના તમામ કોર્પોરેટર અને કાર્યકર્તાઓ હાજર રહયા હતા. કોંગ્રેસીઓએ આક્ષેપ કર્યો હતો કે અમે માત્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું છતાં પણ બીજેપીએ પોતાની સરકારના જોરે અમારી પર ખોટો કેસ કરી દીધો છે. અને ન્યાય આપવા,માં નહિ આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારી હતી.
    First published:

    Tags: વિરોધ પ્રદર્શન, સુરત, સુરેશ પ્રભુ

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો