Home /News /surat /શું તમારે લોનની જરૂર છે? તો કરો 100 નંબર પર પોલીસને ફોન અને આપો માહિતી
શું તમારે લોનની જરૂર છે? તો કરો 100 નંબર પર પોલીસને ફોન અને આપો માહિતી
વ્યાજખોરો સામે કાર્યવાહી
રાજ્યમાં વ્યાજખોરોને ડામ્યા બાદ લોકોને આર્થિક રીતે તકલીફોને દૂર કરવા માટે સુરત પોલીસે નવતર અભિગમ અપનાવ્યો છે. જણાવી દઈએ કે, પોલીસ દ્વારા જેને લોનની જરૂર હશે તેમને લોન લેવામાં મદદ કરશે.
સુરત: ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોર સામે એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશમાં સુરત શહેર પોલીસે પણ આગળ ચાલીને ખાસ કાર્યવાહી શરૂ કરી છે. જણાવી દઈએ કે, વ્યાજખોરો સામે કાર્યવાહી બાદ સુરત શહેર પોલીસ દ્વારા એક નવતર અભિગમ દાખવવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, સુરત શહેર પોલીસ હવે લોન અપાવવામાં પણ મદદ રૂપ થશે. તેઓ બેન્ક સાથે મિટિંગ કરાવી લોન અપાવશે તેવી પણ માહિતી સામે આવી છે.
સુરત શહેરમાં કેટલાક એવા વ્યાજખોર છે કે, જે લોકોને ઊંચા વ્યાજે રકમ આપતા હતા. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને કારણે વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસ દ્વારા કેટલાક કિસ્સામાં સૂઓમોટોને લઈને ફરિયાદો પણ દાખલ કરવામાં આવી છે. વ્યાજખોર દ્વારા કેટલાક લોકોની મિલકતો પણ ખોટી રીતે વ્યાજના નામે પચાવી પાડવામાં આવી છે. જે મિલકતો પણ પોલીસ દ્વારા વ્યાજખોરો પાસે છોડાવી લોકોને પરત કરાવવામાં આવી છે.
વ્યાજખોર સામે પોલીસની કડક કાર્યવાહીના કારણે વ્યાજખોરોએ પોતાની લીલા સંકેલી લીધી છે. વ્યાજખોરો દ્વારા વ્યાજનો ધંધો બંધ કરી દેવાતા લોકોને હવે મુશ્કેલી પડી રહી છે. લોકોને પડતી મુશ્કેલીને કારણે પોલીસે હવે લોકોએ નવો અભિગમ અપનાવ્યો છે. શહેર પોલીસ હવે લોકોને બેંકમાંથી લોન અપાવવાનું કામ કરશે. જેમાં, લોકોને લોન માટેની સમજણ હવે પોલીસ આપશે.
જણાવી દઈએ કે, જે કોઈ વ્યક્તિને લોનની જરૂર હોય તેમને 100 નંબર ઉપર કોલ કરવાનો રહેશે. કોલ કર્યા પછી પોલીસ જે તે વ્યક્તિની માહિતીની નોંધ કરશે. નોંધ કર્યા પછી પોલીસ આ માહિતી બેંકના કર્મચારીને આપશે. આ બાદ, બેંક જે તે વ્યક્તિની ખરાઈ કરીને લોન આપશે. સુરત શહેર પોલીસ દ્વારા બેંકોમાં ચાલતી 13 જેટલી સ્કીમોની મહંતો લોકોને આપવામાં આવશે અને તે અંતર્ગત લોકોને લોન અપાવવામાં આવશે. પોલીસે તમામ કો-ઓપરેટિવ તેમાં નેશનલાઈઝડ બેન્કોના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી લોન અપાવવા માટેની તૈયારીઓ કરાઇ છે.