Home /News /surat /Surat: સુરતમાં તોડ કરવા પહોંચેલા CBI અને માનવાધિકારના ઠગ અધિકારીઓને પોલીસે દબોચી લીધા
Surat: સુરતમાં તોડ કરવા પહોંચેલા CBI અને માનવાધિકારના ઠગ અધિકારીઓને પોલીસે દબોચી લીધા
સેન્ટ્રલ બ્યુરો તેમજ માનવ અધિકાર અને પત્રકાર તરીકેની ખોટી ઓળખાણ આપી તોડબાજી કરતી ઠગ ગેંગ ઝડપાઇ.
આરોપીઓ ઝડપાઇ ગયા બાદ તેઓની પાસેથી અલગ અલગ એજન્સીઓના આઇકાર્ડ મળી આવ્યા હતા. પોલીસે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેમની સામે વધુ તપાસ શરૂ કરી હતી. તો પકડાયેલા તમામ લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયા હોવાનું પણ પોલીસ સામે આવ્યું હતું.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (Fake CBI) તેમજ માનવ અધિકાર અને પત્રકાર (Fake Journalist) તથા જાહેર સેવક તરીકેની ખોટી ઓળખાણ આપી તોડબાજી કરતી એક ગેંગ વિરુદ્ધ સુરતવા અમરોલી પોલીસ (Amroli Police)માં ફરિયાદ મળી હતી. જોકે આ ગેંગે એક યુવક પાસેથી 45 હજારનો તોડ કર્યો હતો, જેને લઇને પોલીસે ઠગ ગેંગના ચાર લોકોને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં સતત ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે ત્યારે નવી ટેક્નિકથી લોકો સાથે ઠગાઇ અને છેતરપિંડી કરતા સતત ફરિયાદો સુરત પોલીસને મળી રહી છે ત્યારે અમરોલી વિસ્તારમાં એક યુવક સાથે 45 હજારની ઠગાઈનો મામલો સામે આવ્યો હતો. અમરેલી વિસ્તારમાં એક યુવકને ત્યાં આવી ચાર જેટલા લોકો આવી પોતે સેન્ટ્રલ બ્યુરો તેમજ પત્રકાર અને માનવ અધિકાર ખાતેથી આવતા હોવાનુ જણાવી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને બાદમાં રોકડા રૂ .45,000 પડાવી લીધા હતા. જે અંગે યુવકને ખ્યાલ આવી ગયો હતો કે, આ લોકોની તેની સાથે છેતરપિંડી કરી રહ્યા છે તેના આધારે તાત્કાલિક સુરતના અમરોલી પોલીસ મથકે દોડી જઇ આ મામલે ફરિયાદ આપી હતી.
પોલીસ દમનની ફરિયાદ દાખલ કરી તાત્કાલિક પકડી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં પ્રકાશ મોહનભાઇ મોલીયા ઉ .31 ધંધો.પત્રકાર ( ટાઇમ પાંચ ) રહે.એ/21,101 ઓમ ટાઉનશીપ વિભાગ-6 પાસોદરા સુત ( 2 ) કાત્મક ઉર્ફે રાજ વિરેંદ્રભાઇ શેઠ ઉ.વ 41 ધો.પત્રકાર ( મુંબઇ તરંગ ન્યુઝ ) રહે .1303 તૃતી આઇકોન પાલનપુર, કેનાલ રોડ અડાજણ સુરત (3) ઉદીત કુમારપાળ ભાવસાર ઉ.વ.31 ધંધો પત્રકાર ( ડીજીટલ સતર્ક ) સૌ ઐ /702 આંગણ રેસીડેન્સી, જહાંગીરપુરા સુરત (4) હર્ષીત નરેશાભાઇ સુખી ઉ.વ 22 ધંધો. કાર લે વેચ રહે.બી /4,202 સૌરાષ્ટ્ર ટાઉનશીપ વિભાગ -1 , પાસોદરા સુરત ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
આરોપીઓ ઝડપાઇ ગયા બાદ તેઓની પાસેથી અલગ અલગ એજન્સીઓના આઇકાર્ડ મળી આવ્યા હતા. પોલીસે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેમની સામે વધુ તપાસ શરૂ કરી હતી. તો પકડાયેલા તમામ લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયા હોવાનું પણ પોલીસ સામે આવ્યું હતું. કાર્તીક ઉર્ફે રાજ વિરંદ્રભાઇ રોક કતારગામ પોલીસ સ્ટેશન અને મુંબઇ કુર્લા પોલીસ સ્ટેશન ખાતે 420ના ગુનામાં પકડાયેલ હોવાની કબુલાત કરેલ છે. જ્યારે ઉદીન મારપાળ ભાવસાર સાબરકાંઠા ઇડર ખાતે સને 2019 ની સાલમા નેગોસીપેબલ કેશ થયેલ હોવાની કબુલાત કરેલ છે.
ઉપરોક્ત આરોપીઓએ સેન્ટ્રલ બ્યુરો તેમજ માનવ અધિકાર અને પત્રકાર તરીકેની ખોટી ઓળખાણ આપી તોડબાજી કરતા હતા. અને આ સિવાય અન્ય આવા કોઇ ગુન્હા આચરેલ છે કે કેમ તે અંગે હાલ તપાસ ચાલુ છે. જેથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આવી કોઇ સેન્ટ્રલ બ્યુરો તેમજ માનવ અધિકાર અને પત્રકાર તરીકેની ખોટી ઓળખાણ આપી તોડબાજી કરતી ઠગ ગેંગ ધ્યાન ઉપર આવે તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિંનતી.