Home /News /sport /શું ઋષભ પંત નશામાં કાર ચલાવતો હતો, કેટલી હતી સ્પીડ? ઉત્તરાખંડ પોલીસે જણાવી હકીકત

શું ઋષભ પંત નશામાં કાર ચલાવતો હતો, કેટલી હતી સ્પીડ? ઉત્તરાખંડ પોલીસે જણાવી હકીકત

પોલીસનું કહેવું છે કે ભારતીય ક્રિકેટર ઋષભ પંતનો સામાન સુરક્ષિત છે. તેમની સાથે કોઈ લૂંટની ઘટના બની નથી. (તસવીર-ન્યૂઝ18)

Rishabh Pant Accident: અકસ્માત બાદ પંતની કારમાં આગ લાગી હતી પરંતુ આગ લાગે તે પહેલા પંતને વાહનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને પછી તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

નવી દિલ્હી: દિલ્હી-ઉત્તરાખંડ હાઈવે પર ઋષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ તેની પાછળની અફવાઓ પર પૂર્ણવિરામ મુકતા હરિદ્વારના એસએસપી અજય સિંહે કહ્યું છે કે કેટલાક લોકો ક્રિકેટર નશામાં અને ઓવરસ્પીડ હોવાના ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છું. અકસ્માત બાદ પંતની કારમાં આગ લાગી હતી પરંતુ આગ લાગે તે પહેલા પંતને વાહનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને પછી તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને દહેરાદૂનમાં એક અલગ આરોગ્ય સુવિધામાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તે હાલમાં તેની ઇજાઓ માટે સારવાર હેઠળ છે. ઉત્તરાખંડ પોલીસે રવિવારે જણાવ્યું હતું કે, ક્રિકેટર ઋષભ પંત શુક્રવારે વહેલી સવારે ડ્રાઇવિંગ કરતી વખતે સૂઈ જતાં અકસ્માતનો ભોગ બન્યો હતો. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં અકસ્માત થયો હતો તે જગ્યા સાંકડી છે.

આના એક દિવસ પહેલા દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ના એક અધિકારીએ દાવો કર્યો હતો કે ક્રિકેટર પંત હાઇવે પર ખાડાથી બચવાનો પ્રયાસ કરતી વખતે અકસ્માતનો ભોગ બન્યો હતો. ન્યૂઝ18 સંવાદદાતા સાથે વાત કરતા હરિદ્વારના એસએસપી અજય સિંહે દાવો કર્યો કે વાહનની ગતિ સામાન્ય હતી અને પંત નશાની હાલતમાં ન હતા. એસએસપીએ કહ્યું કે મેડિકલ રિપોર્ટમાં ભારતીય ક્રિકેટર દ્વારા દારૂ પીવાની કોઈ માહિતી નથી અને તે નિર્ધારિત મર્યાદામાં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો.

લોકોને પંતને મળવાની સલાહ

આ દરમિયાન ડીડીસીએના ડિરેક્ટર શ્યામ શર્માએ લોકોને ઇન્ફેક્શનના જોખમને ટાંકીને સ્ટાર ક્રિકેટરની મુલાકાત ન લેવાની સલાહ આપી છે.

આ પણ વાંચો: ચીનમાં આવશે કોરોનાની સુનામી, દરરોજ 9,000 લોકોના મોત થવાની સંભાવના

શર્માએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, "જે લોકો પંતને મળવા જઈ રહ્યા છે તેઓએ તેનાથી બચવું જોઈએ, કારણ કે ઇન્ફેકઅશનની સંભાવના છે." તેમણે કહ્યું, "પંતને મળવા માટે કોઈ VIP મૂવમેન્ટ ન હોવી જોઈએ અને તેને મળવા આવતા લોકોએ તેનાથી બચવું જોઈએ કારણ કે પંતને ઇન્ફેક્શન લાગી શકે છે."

પંતના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે DDCAની ટીમ દહેરાદૂન જશે

શર્માએ વધુમાં કહ્યું કે, "દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)ની એક ટીમ પંતની તબિયત પર દેખરેખ રાખવા માટે મેક્સ હોસ્પિટલ દેહરાદૂન જઈ રહી છે, જો જરૂર પડશે તો અમે તેને દિલ્હી શિફ્ટ કરીશું અને વધુ શક્યતા છે કે અમે તેને પ્લાસ્ટિક સર્જરી માટે દિલ્હી લઈ જઇશું.
First published:

Tags: Rishabh pant, Team india, બીસીસીઆઇ