Home /News /sport /સૂર્યનું આદિત્ય સાથે મિલન! મી. 360 ડિગ્રી કહીને CM એ પોતે ફોટો મૂક્યો, લોકોએ કહ્યું ભાજપમાં જોડાશે
સૂર્યનું આદિત્ય સાથે મિલન! મી. 360 ડિગ્રી કહીને CM એ પોતે ફોટો મૂક્યો, લોકોએ કહ્યું ભાજપમાં જોડાશે
suryakumar yadav and cm yogi adityanath
CM YOGI ADITYANATH SURYAKUMAR YADAV MEETING: સીએમ યોગીએ સૂર્ય કુમાર યાદવ સાથેની આ મુલાકાતનો ફોટો શેર કરતા લખ્યું કે, "લખનૌના સત્તાવાર નિવાસસ્થાન પર યુવાન અને મહેનતુ SKY (સૂર્યકુમાર યાદવ, મિસ્ટર 360°) સાથે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રવિવારે યોજાયેલ બીજી ટી-20 મેચ લખનૌના મેદાનમાં રમાઈ હતી. આ સાથે ટીમ ઈન્ડિયાના ધાકડ બેટ્સમેન સૂર્ય કુમાર યાદવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી છે. આ મીટિંગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો તેના પર કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે સૂર્ય કુમાર યાદવ 2024ની લોકસભા ચૂંટણીથી ભાજપમાં જોડાઈ શકે છે. મીટિંગની તસવીર શેર કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમને SKY (Mr 360°) તરીકે સંબોધ્યા હતા.
સીએમ યોગીએ સૂર્ય કુમાર યાદવ સાથેની આ મુલાકાતનો ફોટો શેર કરતા લખ્યું કે, "લખનૌના સત્તાવાર નિવાસસ્થાન પર યુવાન અને મહેનતુ SKY (સૂર્યકુમાર યાદવ, મિસ્ટર 360°) સાથે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
એક યુઝરે લખ્યું કે, સૂર્ય કુમાર યાદવ 2024ની લોકસભા ચૂંટણી પહેલા બીજેપીમાં જોડાવા જઈ રહ્યા છે, સૂત્રો એમ પણ કહી રહ્યા છે કે, મારા પર વિશ્વાસ કરો. @csvvis યુઝરે લખ્યું કે આ યાદવોનો આગામી નેતા બનશે. હારેલો વ્યક્તિ ગમે ત્યારે ગમે તેનું નેતૃત્વ કરી શકે છે.
@Eswar560 યુઝરે લખ્યું કે, શું અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવ મળવા નથી ગયા? @nagwansivivek1 યુઝરે લખ્યું કે, એક જ તસવીરમાં મારા બંને ફેવરિટ વ્યક્તિઓ.
@shvetapt341 યુઝરે લખ્યું કે, પાર્ટી કાર્યકર્તાને શપથ લેવડાવશો નહીં?
@Narendr78468350 યુઝરે લખ્યું કે, હાર્દિક પંડ્યાને ફૂલ મળ્યા, જ્યારે સીએમ યોગીએ તેમને પરત કર્યા, શું વાત છે સૂર્ય ભાઈ. ..
એક યુઝરે લખ્યું કે મહારાજ જી, આજકાલ આ ટ્રેન્ડિંગ છે કે, પાર્ટીમાં જોડાય જાઓ. એક યુઝરે લખ્યું કે, તે બીજેપીનો સ્ટાર પ્રચારક પણ બની શકે છે.
" isDesktop="true" id="1329620" >
અહીં ઉલ્લેખનિય છે કે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ જોવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે બેલ વગાડીને મેચની શરૂઆત કરી હતી. ભારત મેચ જીતી ગયું પરંતુ સમગ્ર ઇનિંગ દરમિયાન ભારતીય ટીમના ખેલાડીઓ એક પણ સિક્સર ફટકારી શક્યા ન હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર