Home /News /sport /સંજુ સેમસન તરફ BCCI નું ઓરમાયું વર્તન? પંત બહાર થવા છતા ન મળ્યો ચાન્સ, ગુજરાતી ક્રિકેટર પણ અનફીટ
સંજુ સેમસન તરફ BCCI નું ઓરમાયું વર્તન? પંત બહાર થવા છતા ન મળ્યો ચાન્સ, ગુજરાતી ક્રિકેટર પણ અનફીટ
ઋષભ પંત ટીમની બહાર
INDIA vs BANGLADESH વન-ડે શ્રેણીમાંથીઋષભ પંતને સ્વાસ્થ્યના કારણે રીલીઝ કરી દેવામાં આવ્યો છે. પણ તેના સ્થાને કોઈ ખેલાડીને બોલાવાયો નથી જેના કારણે સંજુ સેમસનના ફેંસ નિરાશ થયા છે
RISHABH PANT RELEASED: ભારતીય ક્રિકેટ ટીમ આગામી બાંગ્લાદેશ (India vs Bangladesh) પ્રવાસ પર યજમાન ટીમ સાથે 3 ODI અને 2 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા આજે 4 ડિસેમ્બરે વનડે મેચથી પ્રવાસની શરૂઆત કરશે. જો કે આજે મેચ અગાઉ ક્રિકેટ ફેંસને આંચકો આપતા BCCI એ ટ્વિટ કર્યું હતું કે વન-ડે શ્રેણીમાંથી ઋષભ પંતને સ્વાસ્થ્યના કારણે પડતો મૂકવામાં આવ્યો છે. એટ્લે કે રીલીઝ કરી દેવામાં આવ્યો છે.
🚨 UPDATE
In consultation with the BCCI Medical Team, Rishabh Pant has been released from the ODI squad. He will join the team ahead of the Test series. No replacement has been sought
Axar Patel was not available for selection for the first ODI.#TeamIndia | #BANvIND
ડાબોડી વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત આજની મેચમાં અને વન-ડે શ્રેણીમાંથી પણ બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ ગુજરાતી ક્રિકેટરને આજની વન-ડે માટે અનફીટ જાહેર કરવામાં આવ્યો હતો. BCCI એક ટ્વિટ મારફતે કરવામાં આવેલી જાહેરાત મુજબ હવે પંત સીધા ટેસ્ટ સીરિઝમાં જ રમશે અને અક્ષર પટેલ કદાચ બીજી વન-ડે મેચમાં જોવા મળી શકે છે. પંતની જગ્યાએ કોઈ રિપ્લેસમેન્ટ ખેલાડી રાખવામા આવ્યો નથી અને લોકેશ રાહુલને વિકેટ કીપીંગ સોંપવામાં આવ્યું છે.
જો કે પંત અનફીટ હોવા છ્તાં BCCI દ્વારા રિપ્લેસમેન્ટ ખેલાડીનું નામ જાહેર કરવામાં નથી આવ્યું. અને લોકેશ રાહુલને આ શ્રેણીમાં વિકેટ કીપીંગ કરવાનું જણાવવામાં આવ્યું છે. સંજુ સેમસનના ફેંસ આ જાહેરાતના કારણે નિરાશ થયા છે કારણ કે તેને ઘણા વખતથી ટીમમાં સ્થાન નથી મળી રહ્યું જ્યારે તે સારો પરફોર્મર રહ્યો છે. સિનિયર ખેલાડીઓ પણ ટી-20 વર્લ્ડ કપમાં નિષ્ફળ રહ્યા હતા. જેના કારણે હવે તેને તક મળે એમ લાગતું હતું પણ ન્યુઝીલેન્ડ બાદ હવે બાંગલાદેશ સામે પણ હજુ સુધી તેને ચાંસ મળ્યો નથી.
આજે ટીમ ઈન્ડિયા વતી કુલદીપ સેન વન-ડે ક્રિકેટમાં પદાર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે મોહમ્મદ શમી ઇજાગ્રસ્ત થયા બાદ ટીમમાં ફાસ્ટ બોલરની જગ્યા ખાલી પડી છે. વર્લ્ડકપ અગાઉ ટીમને ફાસ્ટ બોલર્સ તૈયાર કરવાની જરૂર છે. કારણ કે બૂમરાહ અને શમી જેવા સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં ટીમ પાસે સારા ફાસ્ટર્સ નથી બચ્યા.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર