Home /News /sport /Rishabh Pant Accident : શું Rishabh Pantના કાર અકસ્માતમાં લૂંટ થઈ હતી? SSPએ સમગ્ર સત્ય જણાવ્યું
Rishabh Pant Accident : શું Rishabh Pantના કાર અકસ્માતમાં લૂંટ થઈ હતી? SSPએ સમગ્ર સત્ય જણાવ્યું
ઋુષભ પંતને કાર એક્સિડેન્ટ થતા
ક્રિકેટર ઋષભ પંત શુક્રવારે રોડ અકસ્માતનો શિકાર બન્યો હતો. અકસ્માતમાં તેમની કાર બળીને રાખ થઈ ગઈ હતી. દરમિયાન, અફવા ફેલાઈ કે કેટલાક લોકોએ તેનો સામાન લૂંટી લીધો. આ કેસમાં પોલીસનું કહેવું છે કે આ ખોટી માહિતી છે. એસપી દેહત (રૂરકી)ના જણાવ્યા અનુસાર, ઋષભ પંતના અકસ્માત બાદ તેની પાસેથી એક બ્રેસલેટ, ચેન અને થોડી રોકડ મળી આવી હતી. બધું તેની માતાને સોંપવામાં આવ્યું છે.
દેહરાદૂન : ક્રિકેટર ઋષભ પંત શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો. સવારે લગભગ 5.30 વાગ્યે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. ટક્કર માર્યા બાદ ઋષભ વિન્ડ સ્ક્રીન તોડીને બહાર આવ્યો, પરંતુ કારમાં આગ લાગી ગઈ. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને હવે તેની હાલત સ્થિર છે. અકસ્માત બાદ અફવા ફેલાઈ હતી કે કેટલાક લોકોએ તેમનો સામાન લૂંટી લીધો હતો.
પોલીસે આ અફવાને નકારી કાઢી છે. પોલીસનું કહેવું છે કે પંતને સમયસર મેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેને કોઈ ગંભીર ઈજા થઈ ન હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. તેમ છતાં તેને ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે કેટલીક ચેનલો અને પોર્ટલ પર એવું કહેવામાં આવી રહ્યું છે કે ઋષભનો કેટલોક સામાન લૂંટાયો છે, પરંતુ આ ખોટી માહિતી છે. એસપી દેહત (રૂરકી)ના જણાવ્યા અનુસાર, ઋષભ પંતના અકસ્માત બાદ તેની પાસેથી એક બ્રેસલેટ, ચેન અને થોડી રોકડ મળી આવી હતી. બધું તેની માતાને સોંપવામાં આવ્યું છે.
હરિયાણા રોડવેઝ બસના ડ્રાઈવરે સૌથી પહેલા મદદ કરી
તમને જણાવી દઈએ કે, અકસ્માત બાદ હરિયાણા રોડવેઝ બસના ડ્રાઈવર સુશીલ કુમાર સૌથી પહેલા ઋષભ પાસે પહોંચ્યા હતા. સુશીલ તેને સળગતી કારમાંથી બહાર નીકાળીને હોસ્પિટલ લઈ ગયો હતો. અકસ્માત અંગે હરિદ્વારના એસએસપી અજય સિંહે જણાવ્યું કે ક્રિકેટર ઋષભ પંત સાથેની દુર્ઘટના હરિદ્વાર જિલ્લાના મેંગ્લોરમાં સવારે લગભગ સાડા પાંચ વાગ્યે થઈ હતી. તે સૂઈ ગયો હતો અને ડિવાઈડર સાથે અથડાયો હતો. આ પછી પંતને રૂડકીની સક્ષમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં પ્રાથમિક સારવાર બાદ તેમને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
એસએસપીએ જણાવ્યું કે પંતને માથા, પીઠ અને પગમાં ઈજા થઈ છે. તેમની હાલત સ્થિર છે. આ અકસ્માત અંગે ઋષભ પંતની માતાને જાણ કરવામાં આવી છે. દરમિયાન, આઈસીયુમાં પંતની સારવાર કરી રહેલા ડૉ. સુશીલ નાગરે જણાવ્યું કે પંતને માથા અને ઘૂંટણમાં ઈજા થઈ છે. જ્યારે તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તે સંપૂર્ણ હોશમાં હતો. પંતે ડૉક્ટરને કહ્યું કે તે ઘરે જઈને તેની માતાને સરપ્રાઈઝ આપવા માંગે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર