Home /News /sport /'મેં મારા મૃત્યુ સુધીની અફવા સાંભળી...' રવિન્દ્ર જાડેજાએ કહ્યું- આવી બાબતોની ચિંતા નહીં, રમત પર સંપૂર્ણ ધ્યાન

'મેં મારા મૃત્યુ સુધીની અફવા સાંભળી...' રવિન્દ્ર જાડેજાએ કહ્યું- આવી બાબતોની ચિંતા નહીં, રમત પર સંપૂર્ણ ધ્યાન

રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ઈંગ્લેન્ડ પ્રવાસથી ટીમમાં પરત ફર્યો હતો. ત્યારથી તે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે ઈંગ્લેન્ડ સામે બર્મિંગહામ ટેસ્ટમાં સદી ફટકારી હતી. આ સાથે જ જાડેજાનું ODI અને T20 સિરીઝમાં પણ સારું પ્રદર્શન રહ્યું

વધુ જુઓ ...
નવી દિલ્હી : એશિયા કપ-2022 (Asia Cup-2022) ની પોતાની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાન (India Pakistan) ને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની સાથે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) પણ ભારતની જીતનો હીરો રહ્યો હતો. જાડેજાને મેચમાં ચોથા નંબર પર બેટિંગ કરવા મોકલવામાં આવ્યો હતો અને તેણે 35 રનની મહત્વની ઇનિંગ રમી હતી. હવે તે હોંગકોંગ સામે 31 ઓગસ્ટે રમાનાર બીજી મેચ માટે તૈયાર છે. આ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં જાડેજાએ પોતાની સાથે જોડાયેલી અફવાઓ અને હોંગકોંગ સામેની મેચની તૈયારીઓ પર ખુલીને વાત કરી હતી.

33 વર્ષીય રવિન્દ્ર જાડેજાએ કહ્યું, 'મેં તાજેતરના સમયમાં મારા વિશે ઘણી પ્રકારની અફવાઓ વાંચી અને સાંભળી છે. મેં એક અહેવાલ પણ વાંચ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે IPL 2022માં પાંસળીની ઈજાને કારણે હું T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છું. મને આ બાબતોની પરવા નહોતી. અત્યારે મારું સંપૂર્ણ ધ્યાન એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં ભારત માટે સારો દેખાવ કરવા પર છે.

ઈજા બાદ જાડેજા ઈંગ્લેન્ડ પ્રવાસથી ટીમમાં પરત ફર્યો હતો. ત્યારથી તે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે ઈંગ્લેન્ડ સામે બર્મિંગહામ ટેસ્ટમાં સદી ફટકારી હતી. આ સાથે જ જાડેજાનું ODI અને T20 સિરીઝમાં પણ સારું પ્રદર્શન રહ્યું હતું.

મેં મારા મૃત્યુની અફવા સાંભળી: જાડેજા

પ્રેસ કોન્ફરન્સમાં જાડેજાએ T20 વર્લ્ડ કપમાંથી બહાર થવાની અફવા પર કહ્યું, 'તમે ખૂબ નાનું ઉદાહરણ આપ્યું છે કે, હું T20 વર્લ્ડ કપ માટે ઉપલબ્ધ નહીં રહીશ. આ સમય દરમિયાન મેં મારા વિશે આ અફવા સાંભળી કે હું મૃત્યુ પામ્યો છું. આનાથી મોટી વાત શું હોઈ શકે? હું આ અફવાઓ પર ધ્યાન આપતો નથી. મારી ટીમનો સારો દેખાવ કરવા માટે જે જરૂરી છે તેમાં હું સુધારો કરવા માંગુ છું. હું દિવસ-રાત બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગની પ્રેક્ટિસ કરું છું, જેથી હું વધુ સારૂ પ્રદર્શન કરી શકું.

'ફક્ત એક મેચ વિશે વિચારી રહ્યા'

આ સિવાય આ ભારતીય ઓલરાઉન્ડરે એશિયા કપ અને આગામી ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમની તૈયારી પર કહ્યું, 'અમે T20 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરવા માંગીએ છીએ. પરંતુ, અત્યારે અમારું સમગ્ર ધ્યાન 31 ઓગસ્ટે હોંગકોંગ સામેની મેચ પર છે. તે પછી આપણે સુપર-ફોર વિશે વિચારીશું. અમે સકારાત્મક ક્રિકેટ રમવા માંગીએ છીએ અને દરેક મેચમાં અમારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીશું. અત્યારે વર્લ્ડ કપ વિશે વિચારી રહ્યો નથી. અમે હોંગકોંગ સાથે મેચ કરવા માટે તૈયાર છીએ. આ પછી, જોઈશું આગળ કઈ ટીમ સાથે સ્પર્ધા કરશે.

આ પણ વાંચોUNESCO : ગુજરાતના ગરબા નૃત્યને યુનેસ્કોની અમૂર્ત હેરિટેજ યાદી માટે નામાંકિત કરવામાં આવ્યું

જો ભારત હોંગકોંગને હરાવશે તો સુપર-4માં પહોંચી જશે. એશિયા કપમાં ભારત બે વખત હોંગકોંગનો સામનો કરી ચૂક્યું છે અને બંને વખત જીત્યું છે.
First published:

Tags: Asia Cup, Cricket New in Gujarati, Team india, રવિન્દ્ર જાડેજા