નવી દિલ્હી: આઈપીએલ 2021 (IPL 2021) તેના છેલ્લા તબક્કામાં પહોંચી ગયું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યારે ક્વોલિફાયર 2 દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે રમાશે. જે ટીમો બહાર થઈ ગઈ છે, હવે તેઓએ આઈપીએલ 2022 ની તૈયારી શરૂ કરી દીધી છે. IPL 2022 માટે મેગા ઓક્શન થશે. તે પહેલા મોટા સમાચાર આવી રહ્યા છે કે, આઈપીએલની આગામી સીઝન પહેલા પંજાબ કિંગ્સ (PBKS)ના કેપ્ટન કેએલ રાહુલ આ ફ્રેન્ચાઈઝીથી અલગ થઈ શકે છે અને તેના માટે મેગા ઓક્શનમાં ભારે બોલી લગે તેવી શક્યતા છે.
રાહુલ 2018 થી પંજાબ કિંગ્સ માટે સારું પ્રદર્શન કરી રહ્યો છે. જોકે, આ સમય દરમિયાન તે ટીમને ખિતાબ મેળવી શક્યો ન હતો. તેણે પંજાબ તરફથી રમેલી 4 માંથી 3 સીઝનમાં 600 થી વધુ રન બનાવ્યા હતા. તે 2019માં જ આ આંકડો પાર કરી શક્યો નથી. તેણે તે સિઝનમાં 593 રન બનાવ્યા હતા.
ઘણી ફ્રેન્ચાઈઝીઓએ રાહુલનો સંપર્ક કર્યો
ક્રિકબઝના સમાચારો અનુસાર, આવતા વર્ષે કદાચ રાહુલ પંજાબ કિંગ્સ તરફથી રમશે નહીં અને તેને મેગા હરાજીમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. સમાચાર અનુસાર, ઘણી ફ્રેન્ચાઇઝીઓએ તેમની સાથે રાહુલને સામેલ કરવા માટે સંપર્ક કર્યો છે. જો રાહુલ પંજાબથી અલગ થઈ જાય, તો તેને હરાજીમાં મોટી રકમ મળવાની શક્યતા છે.
કેએલ રાહુલે ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના બાયો બબલમાં પ્રવેશ કર્યો છે. પંજાબ IPL 2021ના ગ્રુપ સ્ટેજમાંથી બહાર ફેંકાઈ ગયું હતું. અહેવાલો અનુસાર, આઈપીએલ 2022ની હરાજી ટી 20 વર્લ્ડ કપ દરમિયાન યોજાઈ શકે છે. IPLની આગામી સીઝનમાં 2 નવી ટીમો પણ જોવા મળશે. આવી સ્થિતિમાં બંને નવી ટીમોની નજર કેએલ રાહુલ પર પણ રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર