ખેલ રત્ન પુરસ્કાર (Khel Ratna Award 2021) માટે એથ્લેટ નીરજ ચોપરા (Neeraj Chopra) સહિત 12 ખેલાડીઓને રાષ્ટ્રપતિ ભવનમાં ખેલરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય રમત પુરસ્કાર સમિતિએ ભારતના સર્વોચ્ચ રમત સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર (Major dhyan Chand Khel ratna Puraskar) માટે 12 ખેલાડીઓના નામ નક્કી કર્યા હતા. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભાલા ફેંકમાં (Tokyo Olympics 2020) ઐતિહાસિક સુવર્ણ ચંદ્રક (Gold Medal Winner Neeraj Chopra) જીતનાર નીરજ ચોપરા, અન્ય ઓલિમ્પિક ચંદ્રક વિજેતાઓ – રવિ દહિયા (Ravi Dahiya) , પીઆર શ્રીજેશ (P.R Sreejesh) અને લોવલિના બોર્ગોહાઈ સાથે યાદીમાં સામેલ છે. સુનીલ છેત્રી (Sunil Chettri) સાથે પીઢ ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજને (Mithali Raj) પણ ટોચના સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
2021 ભારત માટે ખાસ વર્ષ હતું, જ્યાં ઘણા ખેલાડીઓએ ટોક્યો ઓલિમ્પિક્સ 2020 તેમજ ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં દેશને ગૌરવ અપાવ્યું હતું. પેરાલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની રહેલી ભારતીય પેરાલિમ્પિયન અવની લેખારાના (Avani Lekhara) નામની પણ ભલામણ કરવામાં આવી હતી.. પેરાલિમ્પિક્સ 2020માં F64 પેરા જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતનાર સુમિત અંતિલના નામની પણ ખેલ રત્ન માટે ભલામણ કરવામાં આવી હતી.
25 લાખ રોકડ અને સુવર્ણ પદક અપાય છે
આ પુરસ્કાર દર વર્ષે 29મી ઓગસ્ટના રોજ યોજાય છે પરંતુ આ વર્ષે ઓલિમ્પિકના ખેલાડીઓને અને પેરાલિમ્પિકના ખેલાડીઓનો સમાવેશ કરવા માટે તેન લંબાવવામાં આવ્યો હતો. આ સમારોહમાં ખેલાડીને એક સુવર્ણ પદક અને રૂપિયા 25 લાખ રોકડ આપવામાં આવે છે. જ્યારે અર્જુન એવોર્ડ વિજેતાને રૂપિયા 15 લાખ કેશ અને એક કાસ્ય પ્રતિમા તેમજ સન્માન પત્રક આપવામાં આવે છે.