Home /News /sport /IND vs BAN: પતિને ફરી ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોઈ ઈમોશનલ થઈ ગઈ ગુજરાતી ક્રિકેટરની પત્ની, જુઓ શું લખ્યું
IND vs BAN: પતિને ફરી ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોઈ ઈમોશનલ થઈ ગઈ ગુજરાતી ક્રિકેટરની પત્ની, જુઓ શું લખ્યું
Jaydev Unadkat To Play For INDIA: ગુજરાતના ક્રિકેટર જયદેવ ઉનડકટને 12 વર્ષ બાદ બાંગ્લાદેશ સામેની આગામી બે મેચની ટેસ્ટ શ્રેણી માટે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
Jaydev Unadkat To Play For INDIA: ગુજરાતના ક્રિકેટર જયદેવ ઉનડકટને 12 વર્ષ બાદ બાંગ્લાદેશ સામેની આગામી બે મેચની ટેસ્ટ શ્રેણી માટે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
JAYDEV UNADKAT WIFE RINNY KANTARIA: જયદેવ ઉનડકટની પત્ની રિન્ની કંટારિયાએ તાજેતરમાં તેના પતિની કેટલીક હ્રદયસ્પર્શી તસવીરો શેર કરી છે. ઉનડકટને 12 વર્ષ બાદ બાંગ્લાદેશ સામેની આગામી બે મેચની ટેસ્ટ શ્રેણી માટે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. મોહમ્મદ શમીના સ્થાને ઉનડકટને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. શમીને બાંગ્લા ટાઈગર્સ સામેની વનડે શ્રેણી પહેલા ઈજા થઈ હતી. તેને 50 ઓવરની ત્રણ મેચો માટે બાકાત રાખવામાં આવ્યો હતો અને હવે તે આખી ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે.
રિન્નીએ ઉનડકટની ભારતીય જર્સી હાથમાં લીધેલી બેહદ આનંદની ક્ષણોવાળી તસ્વીર શેર કરી છે. તેણે કૅપ્શન આપ્યું: પત્ની માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ. ઉનડકટે આ પોસ્ટ પર રિપ્લાય આપ્યો હતો કે, તમે મને વિશ્વાસ અપાવ્યો છે!
તેણે સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં વિકેટ વિના રહ્યો હતો અને ભારત આ મેચ ઇનિંગ્સ અને 25 રનથી હારી ગયું હતું.
11 વર્ષ પછી ગુજરાતી ક્રિકેટરની કિસ્મતનાં પાસા પલટાઈ ગયા
આંતરરાષ્ટ્રીય સ્તરે મર્યાદિત તકો હોવા છતાં ઉનડકટ ડોમેસ્ટિક ક્રિકેટમાં સારા એવા પરફોર્મન્સ માટે જાણીતો છે. તેણે 96 મેચમાં 353 વિકેટ ઝડપી છે. તેણે 2019-20ની રણજી ટ્રોફી સીઝનનો રેકોર્ડબ્રેક આનંદ માણ્યો હતો, જેમાં તેણે 67 વિકેટ ઝડપી હતી અને સૌરાષ્ટ્રને તેનું પ્રથમ ટાઇટલ જીતવામાં મદદ કરી હતી. ઉનડકટ ભારત માટે અત્યાર સુધીમાં સાત વનડે અને 10 ટી-20 રમી ચૂક્યો છે. ગત મહિને વિજય હજારે ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો કેપ્ટન ઉનડકટ સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે 10 મેચમાં 19 વિકેટ ઝડપી હતી. ઉનડકટે અત્યાર સુધી 96 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં તેણે 353 વિકેટ લીધી છે.
ટેસ્ટ ક્રિકેટ અને જયદેવ ઉનડકટ આશરે 5 વર્ષોથી એકબીજાથી દૂર હતા, પરંતુ બાંગ્લાદેશના વર્તમાન પ્રવાસ દરમિયાન ટીમ મેનેજમેન્ટમાંથી ફોન આવતાં ઉનડકટની ટેસ્ટ ક્રિકેટમાં ફરીથી વાપસી થવા જઈ રહી છે.
ઘરેલુ ક્રિકેટમાં 14 વર્ષ સુધી સખત મહેનત કર્યા બાદ જયદેવે રાષ્ટ્રીય ટેસ્ટ ટીમમાં પુનરાગમન કર્યું છે. અત્યાર સુધી ઉનડકટ 2010માં રાષ્ટ્રીય ટીમ માટે માત્ર એક જ ટેસ્ટ મેચ રમ્યો છે. તે મેચમાં તેની આઉટિંગ નબળી રહી હતી, જેના પછી તેને કોઈ તક મળી ન હતી. તે તાજેતરમાં સમાપ્ત થયેલ વિજય હજારે ટ્રોફીમાં પણ શાનદાર ફોર્મમાં હતો, તેણે 19 વિકેટ ઝડપી હતી અને ફરી એકવાર તેની ટીમને ટ્રોફી માટે માર્ગદર્શન આપ્યું હતું.