Home /News /sport /શ્રીલંકા સામેની વન ડે સિરીઝમાં ઈન્ડિયાનો આ દિગ્ગજ ક્રિકેટર ટીમમાંથી થયો બહાર
શ્રીલંકા સામેની વન ડે સિરીઝમાં ઈન્ડિયાનો આ દિગ્ગજ ક્રિકેટર ટીમમાંથી થયો બહાર
જસપ્રીત બુમરાહ
જસપ્રીત બુમરાહ હજુ બાકીના ખેલાડીઓ સાથે ગુવાહાટી નથી પહોંચ્યો જ્યાં ટીમ ઈન્ડિયા 10 જાન્યુઆરીએ પ્રથમ વનડે રમવાની છે. BCCI દ્વારા 3 જાન્યુઆરીએ વન ડે ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જ્યારે જસપ્રીત બુમરાહને શ્રીલંકા સામેની આ શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો હતો.
દિલ્હી. શ્રીલંકા સામેની વનડે સિરીઝ શરૂ થવાના એક દિવસ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઈજા બાદ વાપસી કરી રહેલો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ હવે આ વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. જસપ્રીત બુમરાહને અગાઉ આ સિરીઝનો ભાગ બનાવવામાં આવ્યો ન હતો, પરંતુ બાદમાં તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.
જસપ્રીત બુમરાહ હજુ બાકીના ખેલાડીઓ સાથે ગુવાહાટી નથી પહોંચ્યો જ્યાં ટીમ ઈન્ડિયા 10 જાન્યુઆરીએ પ્રથમ વનડે રમવાની છે. BCCI દ્વારા 3 જાન્યુઆરીએ વન ડે ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જ્યારે જસપ્રીત બુમરાહને શ્રીલંકા સામેની આ શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન એવું લાગ્યું કે જસપ્રીત બુમરાહ સંપૂર્ણ રીતે ફિટ છે અને રમવા માટે તૈયાર છે.
પરંતુ વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈ કોઈ જોખમ લેવા માંગતી નથી. આ જ કારણ છે કે જસપ્રીત બુમરાહને છેલ્લી ક્ષણે સિરીઝમાંથી બહાર રાખવામાં આવ્યો છે, જેથી જોખમ ન લેતા અને તેને પરત ફરવા માટે પૂરો સમય મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ઋષભ પંત પહેલેથી જ કાર અકસ્માતને કારણે ઘાયલ છે અને તેના વર્લ્ડ કપમાં ભાગ લેવા પર હજુ પણ શંકા છે.
વન ડે સિરીઝ માટે બંને ટીમોનો સ્ક્કોડ
તમને જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહ સપ્ટેમ્બર 2022થી ક્રિકેટ એક્શનથી દૂર છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે T20 શ્રેણી રમાઈ હતી, જેમાં જસપ્રીત બુમરાહે ભાગ લીધો હતો. જે બાદ તે ઈજાના કારણે ટીમની બહાર રહ્યો, જસપ્રીત બુમરાહે એશિયા કપ, ટી20 વર્લ્ડ કપ 2022માં ભાગ લીધો ન હતો.