આઇપીએલ 2022 (IPL 2022 Retention ) માટે મેગા હરાજી (Mega auctions) ડિસેમ્બર 2021 અથવા વર્ષ 2022ની શરૂઆતમાં થાય તેવી સંભાવના છે. ત્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) માટે હરાજી પહેલાં તમામ ટીમો ખેલાડીઓને રિટેઈન (Retention) કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અહેવાલો અનુસાર, મેગા હરાજીમાં ભારતના અને બહારના અનેક ખેલાડીઓનો સમાવેશ થઈ શકે છે. આજે રિટેન થયેલા ખેલાડીઓનું લિસ્ટ સામે આવશે ત્યારે જાણો શું છે રિટેન થયેલા ખેલાડીઓને લગતા નિયમો અને તેને લગતી ખાસ વાતો
આઇપીએલ 2022માં બે નવી ટીમનો ઉમેરો થશે. ભારતીય ક્રિકેટ બોર્ડના રિટેન્શન નિયમો મુજબ જૂની ફ્રેન્ચાઇઝીઓને ચાર ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી છે. તેમને 30 નવેમ્બર સુધીમાં રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવા જણાવવામાં આવ્યું છે
સેલેરી પર્સ 90 કરોડ રૂપિયા હશે
તમામ 8 ટીમો અને નવી ફ્રેન્ચાઇઝીઓ ખેલાડીઓની બહોળી સંખ્યામાંથી પસંદગી કરવા મહેનત કરશે. BCCI ફ્રેન્ચાઇઝીઓના સેલેરી પર્સમાં પણ વધારો કર્યો છે. આ વખતે આઇપીએલની તમામ ટીમો માટે સેલેરી પર્સ 90 કરોડ રૂપિયા હશે. આઇપીએલ 2021માટે સેલેરી પર્સ 85 કરોડ રૂપિયા હતું.
આઇપીએલ 2022ની મેગા હરાજીમાં જૂની આઠ ફ્રેન્ચાઇઝીઓ વધુમાં વધુ ચાર ખેલાડીઓને જાળવી શકે છે. આ ચાર ખેલાડીઓ બે ભારતીય અને બે વિદેશી ખેલાડીઓ અથવા ત્રણ ભારતીય અને એક વિદેશમાં હોઈ શકે છે. બીસીસીઆઇએ ફ્રેન્ચાઇઝીઓને એક, બે, ત્રણ કે ચાર ખેલાડીઓને જાળવી રાખવાની પણ મંજૂરી આપી દીધી છે
બે નવી ટીમોની એન્ટ્રી
આ વખતે આઇપીએલમાં અમદાવાદ અને લખનઉ એન બે ટીમોની એન્ટ્રી થઈ છે. આ ટીમો મેગા હરાજીમાં ત્રણ ખેલાડીઓની પસંદગી કરી શકે છે. આ ઉપરાંત નવી ટીમો મેગા હરાજીની બહાર પણ બે ભારતીય અને એક વિદેશી ક્રિકેટરને પસંદ કરી શકે છે.