Home /News /sport /IND vs BAN: ભારતે બાંગ્લાદેશનો તેની જ ધરતી પર કર્યો વ્હાઇટવોશ! બીજી ટેસ્ટ 3 વિકેટે જીતી
IND vs BAN: ભારતે બાંગ્લાદેશનો તેની જ ધરતી પર કર્યો વ્હાઇટવોશ! બીજી ટેસ્ટ 3 વિકેટે જીતી
ભારતનો બાંગ્લાદેશ સામે વિજય
INDIA WINS AGAINST BANGLADESH: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી અને આખરી ટેસ્ટમાં પણ ભારતનો વિજય થયો હતો અને આ સાથે બે ટેસ્ટની શ્રેણી ભારતે 2-0 થી વ્હાઇટવોશ કરીને જીતી લીધી છે.
INDIA WINS AGAINST BANGLADESH: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટમાં ભારતનો 3 વિકેટે વિજય થયો હતો. ભારત પર ગઇકાલ સુધી પરાજયનું સંકટ તોળાઈ રહ્યું હતું. કારણ કે ભારતના ટોપ ઓર્ડરનો મિનિ ધબડકો થયો હતો. પણ ત્યાર પછી અક્ષર પટેલે બાજી થોડી સાંભળી હતી. પણ આજે પાંચમા દિવસે પણ સવારે વહેલી ત્રણ વિકેટો પડી જતાં એક સમયે લાગતું હતું કે ભારત હારી જશે પરંતુ ત્યાર પછી ઇન ફોર્મ બેટ્સમેન શ્રેયસ ઐયરે અને ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને સ્થિરતા અપાવતા ભારતને જીત સુધી લઈ ગયા હતા.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વાત કરીએ તો આ મેચ ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ છે. અત્યારે તે ટેબલમાં બીજા નંબર પર છે. બાંગ્લાદેશ તરફથી લિટન દાસે શાનદાર 73 રન બનાવ્યા હતા. આ સાથે જ ઝાકિર હસને પણ 51 રનની સંઘર્ષપૂર્ણ ઇનિંગ રમી હતી. મેચમાં બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 212 જ્યારે ભારતે 314 રન બનાવ્યા હતા. આ રીતે ભારતને 87 રનની લીડ મળી હતી. ત્યાર પછી બીજી ઇનિંગમાં બાંગલાદેશ 231 રને ઓલઆઉટ થઈ ગયું હતું અને ભારતને 145 રન બનાવવાના હતા. પરંતુ ટર્નિંગ ટ્રેક પર છેલ્લા બે દિવસ બેટિંગ માટે સૌથી ખરાબ માનવમાં આવે છે અને એવા સમયે ભારતે શરૂઆતમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. છેલ્લા અને પાંચમા દિવસે પણ વિકેટો પાડવાનું ચાલુ જ રહ્યું હતું. સેટ થઈ ગયેલ ઓલરાઉન્ડર અક્ષર પટેલ બોલ્ડ થતાં ભારતીય ક્રિકેટ ચાહકોએ એક સમયે આશા ગુમાવી દીધી હતી. પણ અશ્વિન અને ઐયરે આખરે મેચ બચાવી લીધી હતી.
ભારતના શાનદાર ક્લાસ બેટ્સમેનો ગણાતા લોકેશ રાહુલ અને વિરાટ કોહલીનું ફોર્મ હાલ ચિંતાનો વિષય છે. બાંગ્લાદેશ જેવી ટીમ સામે પણ આ ધુરંધર ખેલાડીઓ પરફોર્મ ન કરી શકે તો એ ચિંતાનો વિષય છે. બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં પણ બંને નિષ્ફળ ગયા હતા.
વર્તમાન શ્રેણીની વાત કરીએ તો કેપ્ટન કેએલ રાહુલ અને વિરાટ કોહલી સારા ફોર્મમાં નથી. રોહિત શર્મા ઈજાના કારણે પહેલાથી જ ટીમની બહાર ચાલી રહ્યો છે. પ્રથમ ટેસ્ટની વાત કરીએ તો રાહુલે પ્રથમ ઇનિંગમાં 22 રન જ્યારે બીજી ઇનિંગમાં 23 રન બનાવ્યા હતા. જ્યારે કોહલીએ પ્રથમ દાવમાં એક અને બીજી ઈનિંગમાં અણનમ 17 રન બનાવ્યા હતા. બીજી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં રાહુલ ફરી સસ્તામાં પાછો ફર્યો હતો. તેણે 10 અને 2 રન બનાવ્યા હતા. જ્યારે કોહલી પ્રથમ દાવમાં 24 રન અને બીજી ઇનિંગમાં માત્ર એક રન બનાવી શક્યો હતો. ચેતેશ્વર પુજારા 6 અને ગિલ રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.
ભારત પાસે બેટ્સમેનોની કમી નથી. દેશમાં સેંકડો બેટ્સમેનો ટીમ ઈંડિયામાં તક મળે તેની રાહ જોઈને બેઠા છે. ત્યારે આ બે ખેલાડીઓ પાસેથી આખા દેશને આશા છે અને હવે તેમણે સારું પરફોર્મ કરવું પડે એમ છે નહીં તો તેઓનું ટીમમાં સ્થાન જોખમાઈ શકે છે.
" isDesktop="true" id="1307334" >
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં પણ ભારતના કોહલી અને કેપ્ટન રાહુલ નિષ્ફળ ગયા હતા. રાહુલે પ્રથમ ટેસ્ટની બંને ઇનિંગમાં 22 અને 23 રન બનાવ્યા હતા તો વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં એક રન બનાવીને આઉટ થયો હતો અને બીજી ઇનિંગમાં 19 રાણે નોટઆઉટ રહ્યો હતો. જો કે આખરે ભારત એ મેચ જીત્યું હતું જેના કારણે ખાસ આ નિષ્ફળતાની નોંધ લેવાઈ નહોતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર