ન્યૂઝ18 ગુજરાતી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં રમાઇ રહેલી બીજી વન-ડેમાં કેપ્ટન વિરાટ કોહલીએ 40મી સદી ફટકારી છે. વિરાટે 107 બોલમાં 9 ફોરની મદદથી સદી ફટકારી છે. ભારત 250 રનમાં ઓલ આઉટ થતા ઓસ્ટ્રેલિયાને 251 રનનો ટારગેટ હતો, જો કે ઓસ્ટ્રેલિયા 242 રનમાં જ ઓલઆઉટ થઇ જતાં ભારતનો 8 રને વિજય થયો છે.
ઓસ્ટ્રેલિયાએ 48 ઓવરમાં 230 રન બનાવી લીધા છે. કુલદીપ યાદવે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી, ત્યારબાદ કેદાર જાધવે પણ ઉસ્માનને આઉટ કરી બીજી સફળતા અપાવી. હાલ ઓસ્ટ્રેલિયાના શોન માર્શ અને પીટર હેન્ડસકોમ્બ ક્રિઝ પર છે. ભારતને 15મી ઓવરમાં પ્રથમ સફળતા મળતા દબાણમાં આવ્યું હતું.
ભારતની શરૂઆત નબળી થઇ હતી, સતત બે વિકેટ ગુમાવી હતી. પહેલા કેદાર જાધવે 11 રને કેચ આપી દીધો. ત્યાં જ મહેન્દ્ર સિંહ ધોની ખાતું ખોલ્યા વગર પેલેલિયન પાછો ફર્યો હતો. ઉસ્માન ખ્વાજાએ ધોનીનો કેચ લીધો હતો.
વિજય શંકરના રૂપમાં ભારતની ચોથી વિકેટ પડી હતી. તે 46 રને રન આઉટ થયો છે. જ્યારે ચોથી વિકેટ માટે કોહલી અને વિજય શંકર વચ્ચે 81 રનની ભાગીદારી થઇ હતી.
ભારતે ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચમાં ત્રીજી વિકેટ અંબાતી રાયડુના રૂપમાં ગુમાવી હતી. તેણે 32 બોલમાં 18 રન કરી પેલેલિયન પરત ફર્યો છે.
મેક્સવેલે તેની બીજી ઓવરના ત્રીજા બોલમાં શિખર ધવનને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. ધવને 29 બોલમાં 21 રન કર્યા હતા.
જ્યારે ભારતને પહેલી જ ઓવરમાં ઝાટકો લાગ્યો હતો. ઓપનર બેસ્ટમેન રોહિત શર્મા પહેલી જ ઓવરમાં શૂન્ય રને આઉટ થયો હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં રમાનારી બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે ટોસ પહેલાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે, તે પહેલાં બેટિંગ કરવા માગે છે.
વાત કરીએ પહેલાં વન-ડેની તો ભારતીય ક્રિકેટરોએ સારું પ્રદર્શન કરી ઓસ્ટ્રેલિયાની ટીમને 6 વિકેટે હરાવી હતી. પહેલી વન-ડે જીત્યા બાદ ભારતીય ટીમમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. કેમ કે, આ પહેલાં બે મેચોની ટી20 સીરિઝમાં 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, નાગપુરનો વિદર્ભ ક્રિકેટ સંઘ સ્ટેડિયમ ભારત માટે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ લકી રહ્યું છે. આ પહેલાં અહીં બન્ને ટીમો વચ્ચે જે વન-ડે રમાઇ હતી, તેમાં ભારતનો વિજય થયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર