Home /News /sport /IND vs SL: ઈશાન-શૉ કેએલ રાહુલ અને શિખર ધવન માટે બનશે મુશ્કેલી, જાણો કેવી રીતે

IND vs SL: ઈશાન-શૉ કેએલ રાહુલ અને શિખર ધવન માટે બનશે મુશ્કેલી, જાણો કેવી રીતે

તસવીર- AFP

India vs Sri Lanka: શ્રીલંકા સામેની પ્રથમ વનડે મેચમાં ઇશાન કિશન (Ishan Kishan)અને પૃથ્વી શૉ (Prithvi Shaw)દ્વારા રમવામાં આવેલી ઇનિંગથી ટીમ ઇન્ડિયા ચોક્કસપણે ખુશ હશે, પરંતુ આ બંનેએ શિખર ધવન(Shikhar Dhawan) અને કેએલ રાહુલ ( KL Rahul)ની મુશ્કેલીઓને વધારી દીધી છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: ભારતે શ્રીલંકાને ત્રણ વન ડે સિરીઝ (India vs Sri Lanka) ની પ્રથમ મેચમાં 7 વિકેટે પરાજય આપ્યો હતો. પૃથ્વી શો(Prithvi Shaw)અને ઇશાન કિશન (Ishan Kishan) ભારતની જીતના હીરો હતા. શોએ 24 બોલમાં 43 રન બનાવ્યા, જ્યારે કિશન તેની પ્રથમ વનડેમાં 42 બોલમાં 59 રન બનાવ્યા. કિશને મેચમાં જે રીતે બેટિંગ કરી તે જોઈને એવું લાગ્યું નહીં કે તે તેની પ્રથમ વનડે રમી રહ્યો છે. તે કેટલો નિર્ભય હતો, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે વનડે ઇનિંગ્સની શરૂઆત સિક્સરથી કરી હતી. કિશનની જેમ શો પણ આક્રમક બેટિંગ કરી રહ્યો હતો. તેણે માત્ર 24 બોલમાં 43 રન બનાવ્યા હતા. આ બંને બેટ્સમેનોએ પહેલી 15 ઓવરમાં મેચને ભારતના પક્ષમાં મૂકી દીધી હતી. મેચ બાદ ખુદ કેપ્ટન શિખર ધવને (Shikhar Dhawan)પણ આ વાત કહી હતી.

ટીમ ઈન્ડિયાએ કિશન અને શૉની આ ઇનિંગ્સથી જીત મેળવી હતી. પરંતુ તેમણે શિખર ધવન અને કેએલ રાહુલ ( KL Rahul)માટે ચોક્કસ મુશ્કેલીઓ ઉભી કરી છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે, આઇસીસી ટી 20 વર્લ્ડ કપ 2021( ICC T20 World Cup 2021) આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યુએઈમાં યોજાવાનો છે. તે પહેલા આ ભારતની છેલ્લી મર્યાદિત ઓવર શ્રેણી હશે. ટી -20 વર્લ્ડ કપ માટે ટીમમાં એક કે બે ખાલી સ્લોટ ભરવાનું પ્લેટફોર્મ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. સૌથી મોટી ખેંચાણતાણ ઓપનર વિશે છે. કારણ કે રોહિત શર્મા સિવાય શિખર ધવન, વિરાટ કોહલી અને કેએલ રાહુલ પણ આ સ્થળે રમવાનો દાવો કરી શકે છે.

આ પણ વાંચો: IND vs SL: શિખર ધવને કેપ્ટન તરીકે પ્રથમ મેચમાં કરી ધમાકેદાર બેટિંગ

મહત્વનું છે કે, વિરાટ ત્રીજા નંબર પર બેટિંગ કરે છે. પરંતુ આઈપીએલ 2021 મુલતવી રાખતા પહેલા તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 7 મેચમાં તેણે ઓપનિંગ કરી હતી. આટલું જ નહીં માર્ચમાં ઇંગ્લેન્ડ સામેની ટી -20 શ્રેણીની છેલ્લી મેચમાં વિરાટે રોહિત સાથે પણ ઓપનિંગ કર્યું હતું. ત્યારબાદ તેણે અણનમ 80 રન બનાવ્યા. આ પછી ખુદ ભારતીય કેપ્ટનએ કહ્યું કે, હું રોહિત સાથે ટી -20માં ઓપનિંગ માંગુ છું. જો આપણામાંથી કોઈપણ ક્રિઝ પર છે, તો બાકીના ખેલાડીઓનો આત્મવિશ્વાસ મળે છે. જો કે, વિરાટને આંતરરાષ્ટ્રીય ટી 20માં ઓપનિંગનો વધુ અનુભવ નથી.

આ પણ વાંચો: IND vs SL:પૃથ્વી શૉને પૂછ્યું- મેદાનમાં પ્રવેશતા પહેલા રાહુલ દ્રવિડે શું કહ્યું?

વિરાટે માત્ર 8 મેચમાં ઓપનિંગ કરી છે. આ દરમિયાન તેણે 148 થી વધુના સ્ટ્રાઈક રેટથી 278 રન બનાવ્યા છે. જો કે, 2021માં ઓપનિંગ દરમિયાન પૃથ્વી શોએ જે રીતે બેટિંગ કરી છે. પસંદગીકારો માટે તેમને પણ અવગણવું મુશ્કેલ છે.

આ પણ વાંચો: Ind vs SL 1st ODI: ઈન્ડિયાએ શ્રીલંકાને સાત વિકેટે હરાવ્યું, ઈશાનની ડેબ્યું ફિફ્ટી

આ વર્ષે ઇંગ્લેન્ડના પ્રવાસ માટે શોની ટીમમાં પસંદગી કરવામાં આવી ન હતી. તેનાથી નિરાશ થવાને બદલે તેણે સ્થાનિક ક્રિકેટમાં શાનદાર બેટિંગ કરી. વિજય હજારે ટ્રોફીમાં શૉએ મુંબઇ તરફથી 165 એવરેજથી 827 રન બનાવ્યા. આ સિવાય આઈપીએલ 2021 ના ​​મુલતવી પૂર્વે શોએ દિલ્હી કેપિટલ્સ માટે 8 મેચમાં 308 રન બનાવ્યા હતા. જેમાં તેની સ્ટ્રાઇક રેટ 166થી વધુ હતી. શો આ સમયગાળા દરમિયાન ત્રણ ફિફ્ટી પણ મારી હતી.

આ પણ વાંચો: તસ્કરો પાસેથી મળી આવ્યો દુર્લભ પ્રજાતિનો સાપ, કિંમત સાંભળીને હોશ ઊડી જશે

શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં પણ શૉનું આ જ રૂપ જોવા મળ્યું હતું. શોએ 24 બોલમાં 43 રન બનાવ્યા હતા. તેણે ઇનિંગ્સમાં 9 ચોગ્ગા ફટકાર્યા હતા. એટલે કે તેણે બાઉન્ડ્રીથી જ 36 રન બનાવ્યા હતા. તેણે કેપ્ટન શિખર ધવન સાથે પ્રથમ વિકેટ માટે 5.3 ઓવરમાં 58 રનની ભાગીદારી કરી હતી અને મેચમાં શ્રીલંકાને હાર નક્કી કરી દીધી હતી.
First published:

Tags: ક્રિકેટ ન્યૂઝ