India vs South Africa 3rd Test: ઈન્જર્ડ સિરાજની જગ્યા લઈ શકે છે આ બોલર, વિરાટે આપ્યો સંકેત
India vs South Africa 3rd Test: ઈન્જર્ડ સિરાજની જગ્યા લઈ શકે છે આ બોલર, વિરાટે આપ્યો સંકેત
IND vs SA વચ્ચે કેપટાઉનમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં મોહમ્મદ સિરાજ ઈન્ડર્ડ છે.
IND vs SA : આજે સાઉથ આફ્રિકા સામે ત્રીજી ટેસ્ટ પહેલાં કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ સંકેતો આપ્યા કે આ ખેલાડી સંપૂર્ણપણે અસ્વસ્થ છે અને તે રમી નહીં શકે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજો અને અંતિમ ટેસ્ટ મુકાબલો કેપટાઉનમાં 11 જાન્યુઆરીથી (India vs South Africa 3rd Test) રમાશે. નંબર 3 પર ચેતેશ્વર પુજારા, નંબર 4 પર વિરાટ કોહલી (Virat Kohli) અને નંબર 5 પર અજિંક્ય રહાણે (Ajinkya rahane) આ તમામ ભારતના મિડલ ઓર્ડરના મુખ્ય બેટ્સમેન છે. આ તમામ બેટ્સમેનોએ ટેસ્ટમાં અનુક્રમે 46, 28 અને 26 ઇનિંગ્સમાં એકપણ સદી ફટકારી નથી. હવે દક્ષિણ આફ્રિકા સામે ભારત પોતાનો અંતિમ મુકાબલો જીતવા માટે આતુર હોય તેમ લાગી રહ્યું છે. સાથે જ જો આ મુકાબલામાં સેન્ચ્યુરી જીનીક્સ તોડવામાં આવે તો સાઉથ આફ્રિકા સામે જીતવામાં પણ તે મદદરૂપ સાબિત થઈ શકે છે.
ગત ચાર વર્ષોમાં ભારતે વારંવાર જે પેસ અટેક કર્યો છે, તેમાં આ ટેસ્ટ મેચ દરમ્યાન સામાન્ય ફેરફાર કરવામાં આવે તે જરૂરી છે. ટીમમાં હાલ મોહમ્મદ સિરાજના સ્થાને ઉમેશ યાદવ અથવા ઈશાંત શર્માની જો પસંદગી કરવામાં આવે તો પહેલાની સરખામણીએ ટીમમાં વધુ કંટ્રોલ અને રન બનાવવાની ક્ષમતા આવી શકે છે.
થોડા ફેરફારો અને નવીનતા જોવા મળશે
ભારતીય ટીમ તરફથી કરવામાં આવેલા આ ફેરફારને કારણે તેમના ગેમિંગ અટેકમાં થોડા ફેરફારો અને નવીનતા જોવા મળશે. આ નવીનતાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની આ સીરીઝમાં ભારત જીતનો દાવેદાર બની શકે છે. વાંડરર્સમાં કોહલીને થયાલી પીઠની ઈજા અંગે હાલ કોઈ સમાચાર સામે આવી રહ્યા નથી. જો કે તે અત્યાર સુધી સ્વસ્થ થઈ ગયો હોય તેવી અપેક્ષા ક્રિકેટ ચાહકો કરી રહ્યા છે.
હનુમા વિહારીએ બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં અણનમ 40 રનની ઈનિંગ રમી હોવા છતાં કોહલીની વાપસી પછી પણ તેને ટીમમાં સ્થાન બનાવવું પડશે. કોચ રાહુલ દ્રવિડે જોહાનિસબર્ગમાં જણાવ્યું હતું કે, "વિહારી અને અય્યરે તેમના સમયની રાહ જોવી જોઈએ". આગામી બે વર્ષમાં ભારત પાસે માત્ર ત્રણ જ વિદેશી ટેસ્ટ અસાઇનમેન્ટ છે - એક મેચ ઇંગ્લેન્ડમાં, બે બાંગ્લાદેશમાં અને બે વેસ્ટ ઇન્ડિઝમાં. બાકીની છ ટેસ્ટ હોમગ્રાઉન્ડમાં જ યોજાશે. જેમાં બે મેચ માર્ચમાં શ્રીલંકા સામે અને ચાર આગામી શિયાળામાં ઓસ્ટ્રેલિયા વિરુધ્ધ રમાશે.
દ્રવિડના સૌથી મહત્વપૂર્ણ કાર્યોમાંનું એક
અત્યારથી 2022ની શરૂઆતથી દ્રવિડના સૌથી મહત્વપૂર્ણ કાર્યોમાંનું એક જૂના ખેલાડીઓને તબક્કાવાર રીતે બહાર કાઢવાનું અને નવાને ટીમમાં સ્થાન અને મોકો આપવાનું છે. તેમાંથી હાલ પૂજારા અને રહાણે કેપટાઉન ટેસ્ટ રમી રહ્યા છે, જે કદાચ પ્રભાવશાળી રમતથી આગામી મુકાબલાઓમાં પોતાની જગ્યા બનાવી શકશે.
પેસ મેનેજમેન્ટ
સિરાજને બુલરિંગમાં જે તણાવનો સામનો કરવો પડ્યો તેના કારણે તે સીરીઝના નિર્ણાય મુકાબલામાંથી બહાર થઈ શકે છે. આ સાથે જ સિરાજને બહારનો રસ્તો બતાવ્યા પછી ટીમ મેનેજમેન્ટ પાસે ઉમેશ અને ઈશાંતનો વિકલ્પ પણ રહેલો છે.
જ્યારે ઇશાંતની રમતમાં ગુણવત્તાની અથવા ફોર્મની કમી જોવા મળી છે. આ દ્રશ્ય આપણે હેડિંગ્લે ટેસ્ટમાં સ્પષ્ટ રીતે જોયું છે. જ્યારે ઉમેશની વાત કરવામાં આવે તો તેણે ધ ઓવલમાં ખૂબ સારું પ્રદર્શન કર્યુ હતું. 100થી વધુ ટેસ્ટ અને 300 વિકેટ સાથે લાંબા સમયથી ફાસ્ટ બોલર રહેલા ખેલાડીને પ્રાથમિકતા આપવામાં આવે તે બાબતમાં કોઈ બે મત નથી. આ પસંદગીને કારણે ટીમમાં એક કંટ્રોલ જોવા મળશે, જે ટીમને જીત મેળવવામાં મદદરૂપ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર