Home /News /sport /IND vs ENG: અંતિમ 5 ઓવરમાં રન ફટકાર્યા અને મિડલ ઓવરમાં વિકેટો ઝડપી, ટીમ ઈન્ડિયાની જીતના 5 કારણો

IND vs ENG: અંતિમ 5 ઓવરમાં રન ફટકાર્યા અને મિડલ ઓવરમાં વિકેટો ઝડપી, ટીમ ઈન્ડિયાની જીતના 5 કારણો

વિરાટ કોહલીનું ટેસ્ટ અને ટી20 બાદ વનડે સીરીઝ પણ જીતવાનું લક્ષ્ય. (PIC: AP)

ટીમ ઈન્ડિયાની બેટિંગ ખૂબ જ ધીમી રહી છતાંય તેણે 317 રનનો વિશાળ સ્કોર ખડધી દીધો, જીતમાં કૃણાલ પંડ્યા અને પ્રસિદ્ધ કૃષ્ણાનું અગત્યનું યોગદાન

પુણે. ટીમ ઈન્ડિયા (Team India)એ ટેસ્ટ અને ટી20 સીરીઝમાં જીત મેળવ્યા બાદ વનડે સીરીઝમાં પણ સારી શરૂઆત કરી છે. ટીમે પહેલી વનડે (India vs England)માં ઈંગ્લેન્ડને 66 રને હરાવી દીધું. ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતાં 5 વિકેટ પર 317 રન કર્યા. શિખર ધવન, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને કૃણાલ પંડ્યાએ અડધી સદી ફટકારી. તેના જવાબમાં ઈંગ્લીશ ટીમ (England) 42.1 ઓવરમાં 251 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરી રહેલા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ ચાર અને શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ લીધી. ટીમ ઈન્ડિયાની જીતના પાંચ કારણો...

પહેલું કારણ- ટીમ ઈન્ડિયાએ ધીમી શરૂઆત કરી. પહેલી 10 ઓવરમાં માત્ર 39 રન જ કર્યા. પરંતુ શિખર ધવન એક બાજુ ટકેલો રહ્યો અને 94 રનની ઇનિંગ રમીને ટીમને 200 રન સુધી લઈ ગયો. મિડલ ઓવરમાં કેપ્ટન વિરાટ કોહલીએ સારો સપોર્ટ કર્યો.

બીજું કારણ- 40 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટ પર 205 રન હતો. ત્યારબાદ હાર્દિક પંડ્યા ઝડપથી આઉટ થઈ ગયો. પરંતુ કેએલ રાહુલ અને પહેલી વનડે રમી રહેલો કૃણાલ પંડ્યાએ અડધી સદી ફટકારીને સ્કોર 300ને પાર પહોંચાડ્યો. અંતિમ 5 ઓવરમાં ટીમે 67 રન કર્યા અને સ્કોર 317 સુધી પહોંચાડ્યો.

આ પણ વાંચો, IND Vs ENG: જાણો પુણેના એમસીએ સ્ટેડિયમ વિશે, જ્યાં રમાઈ રહી છે વન ડે સીરિઝ

ત્રીજું કારણ- લક્ષ્યનો પીછો કરતાં ઈંગ્લેન્ડે સ્ફોટક શરૂઆત કરી. જોની બેયરસ્ટો અને જેસન રોયે પહેલી વિકેટ માટે 135 રનની પાર્ટનરશીપ કરી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ 30 ઓવર સુધી એટલે કે મિડલ ઓવરમાં 5 વિકેટ લઈને મેચમાં વાપસી કરી. મેચમાં 10માંથી 9 વિકેટ ફાસ્ટ બોલરોએ લીધી.

ચોથું કારણ- ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરી રહેલા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ સારી વાપસી કરી. પહેલી 3 ઓવરમાં તે ઘણો મોંઘો રહ્યો અને 37 રન આપ્યા. અંતમાં 4 વિકેટ લઈને જીતમાં અગત્યની ભૂમિકા નિભાવી. આ ઉપરાંત પહેલી વનડે રમી રહેલા કૃણાલ પંડ્યાએ અડધી સદી ફટકારી અને બોલિંગ કરતા એક વિકેટ પણ ઝડપી.

આ પણ વાંચો, સરકારનો મોટો નિર્ણય, 1 એપ્રિલથી 45 વર્ષથી વધુના તમામ લોકોને અપાશે કોરોના વેક્સીન

" isDesktop="true" id="1082505" >



પાંચમું કારણ- વનડે ક્રિકેટમાં મિડલ ઓવર મહત્વ્ડપૂર્ણ રહે છે. ટીમ ઈન્ડિયાએ પહેલી 10 ઓવરમાં માત્ર 39 રન કર્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડે પહેલી 10 ઓવરમાં 89 રન કર્યા હતા. એટલે કે ઈંગ્લેન્ડની ટીમ પહેલી 10 ઓવરમાં આપણાગી 50 રન વધુ રન કરીને પણ મેચ હારી ગઈ, કારણ કે તેના બેટ્સમેન મિડલ ઓર્ડરમા; સારું પ્રદર્શન ન કરી શક્યા.
First published:

Tags: England, Eoin Morgan, India vs england, MCA Stadium, One Day, Pune, Team india, ક્રિકેટ, વિરાટ કોહલી, સ્પોર્ટસ, હાર્દિક પંડ્યા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો