નવી દિલ્લી: ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને સચિવ જય શાહ (Jay Shah) સાઉથમ્પટનમાં 18 જૂનથી રમાવનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ માટે ઈંગ્લેન્ડ જઇ શકે છે. બીસીસીઆઇના એક સૂત્રએ જણાવ્યું કે, શનિવારે પીટીઆઇ-ભાષાને કહ્યું કે, હાલની યોજના મુજબ બોર્ડ અધ્યક્ષ અને સચિવ બંને ડબ્લ્યુટીસીના ફાઇનલ્સ માટે ઇંગ્લેન્ડમાં હાજર રહેશે. તેમણે કહ્યું, "હાલની યોજના મુજબ ગાંગુલી અને શાહ બંને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ દરમિયાન હાજર રહેશે."
આ સમય દરમિયાન, બંને ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ સાથે યુકેમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની બાકીની 31 મેચ યોજવાની સંભાવના અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડના નીતિગત નિર્ણયો વિશે ચર્ચા કરી શકે છે. આઇપીએલના બાયો-બબલમાં ઘણા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ કોરોના વાયરસથી ચેપ લાગ્યાં બાદ આ ટી-20 લીગ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.
મિડલસેક્સ, સરે, વોરકિશાયર અને લેન્કેશાયર કાઉન્ટીની ટીમોએ આઈપીએલની બાકીની મેચો માટે રસ દાખવ્યો છે. આ સાથે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસને પણ પોતાના દેશમાં આઈપીએલની હિમાયત કરી હતી. પીટરસને 'બેટવે'ની કોલમમાં લખ્યું, 'ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે યોજાયેલી ટેસ્ટ શ્રેણી પછી થોડો સમય આવશે. ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓ અહીં પહેલેથી જ હશે, સાથે ઇંગ્લેંડના શ્રેષ્ઠ ખેલાડીઓ પણ ઉપલબ્ધ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર