દિપક પટેલ રાજપીપળા: કોરોનાની મહામારીમાં લોકડાઉન દરમિયાન રોજગારી અર્થે અન્ય શહેરોમાં ગયેલા આદિવાસીઓ પોતાના વતનમાં પરત ફર્યા છે.એ પૈકી મોટે ભાગના આદિવાસીઓની હાલત દયનિય બની છે.તો બીજી બાજુ લોકડાઉન દરમિયાન વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તંત્ર દ્વારા કરાઈ રહેલી તાર-ફેનસિંગ કામગીરીનો પણ સ્થાનિક આદિવાસીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે, રોજે રોજ પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણના બનાવો બને છે.તો આવાજ ગુજરાતના આદિવાસીઓના અન્ય વિવિધ વિકટ પ્રશ્નો મુદ્દે આદિવાસી નેતા અને ધારાસભ્ય પિતા-પુત્ર છોટુભાઈ વસાવા અને મહેશ વસાવાએ પીએમ મોદીને ફરિયાદ કરતો એક પત્ર લખ્યો છે.
એમણે પોતાના પત્રમાં એમ જણાવ્યું છે કે ગુજરાતના ભરૂચ, નર્મદા સહીત અન્ય આદિવાસી જિલ્લાઓમાં આદિવાસીઓના આવાસ, રોજગાર, સ્વાસ્થ્ય, જંગલ, જમીન, ખનીજ તથા સિંચાઈ સંબંધિત સમસ્યાઓનું હવે નિરાકરણ લાવવું જરૂરી બન્યું છે.કેન્દ્ર સરકારનો પેસા કાયદો અને સંવિધાન 5ની અનુસૂચી પૂર્ણ સ્વરૂપે લાગુ કરવું જોઈએ.1961-62 માં નર્મદા ડેમ બનાવવા આદિવાસીઓની જમીન સંપાદિત થઈ હતી, બાદમાં ડેમ બીજે બન્યો જેથી ખાલી પડેલી જમીન પુંજીપતિઓને હોટેલ બનાવવા માટે વેચવામાં આવે છે, જમીનના વ્યાપારિકરણ પર નિયંત્રણ જરૂરી છે.કેવડીયામાં આદિવાસીઓ સાથે જે અમાનવીય અત્યાચાર થાય છે એની અને લોકડાઉન દરમીયાન પોતાના વતન જઈ રહેલા આદિવાસીઓ પર થતા પોલીસ દમનની યોગ્ય તપાસ થવી જોઈએ.
આદિવાસી વિસ્તારના સ્વાસ્થ્ય કેન્દ્રોમાં અપર્યાપ્ત માત્રામાં દવા, મેડિકલ સ્ટાફ હોવાથી આદિવાસીઓએ સારવાર માટે શહેરી વિસ્તારોમાં જવું પડે છે જોકે આ બાબતે ડેડીયાપાડા ના ધારા સભ્ય મહેશ વસાવા એ ટેલિફોનિક વાત માં સરકાર ને ચીમકી પણ ઉચ્ચારી હતી કે 6 ગામ ના લોકો સાથે સરકાર ન્યાય નહીં કરે તો આવનારા દિવસો માં રાજ્યસભા ની ચૂંટણી માં ભાજપ ને પડી શકે છે મુશ્કેલીઓ ત્યારે હાલ સરકાર દ્વારા જે આદિવાસીઓ પર અત્યાચાર કરે છે બંધ કરે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર