નર્મદા ડેમના 8 પૈકી 7 દરવાજા બંધ કરાયા, જળસપાટી 131.85 મીટર પહોંચી
ankit patel Updated: August 11, 2019, 8:05 PM IST

નર્મદા ડેમ
ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની આવક 1,25,888 ક્યૂસેક પાણી છે જ્યારે ડેમમાંથી 55,165 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
- Last Updated: August 11, 2019, 8:05 PM IST
દિપક, પટેલ, નર્મદાઃ સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતની તમામ નદીઓમાં નવા નીર આવી ગયા છે. સાથે સાથે ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીનું સ્તર વધ્યું હતું. જેના પગેસ સલામતીના ભાગ રૂપે 8 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જોકે, આજે રવિવારે ડેમનો એક દરવારો ખુલ્લો રાખાયો છે અને બાકીના 7 દરવાજા બંધ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે અત્યારે નર્મદા ડેમમાં સપાટી 131 મીટર ઉપર પહોંચી છે. ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની આવક 1,25,888 ક્યૂસેક પાણી છે જ્યારે ડેમમાંથી 55,165 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રિવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલું છે જ્યારે કેનાલ હેડ પાવર હાઉસના 2 ટર્બાઇન ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, પ્રાપ્ત વિગત પ્રમાણે સરદાર સરોવર નર્મદા ડેમના ફરી એકવાર દરવાજા ખોડવામાં આવી શકે છે. શનિવારે 11 વાગ્યે તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા હતા, જો કે ઉપરવાસમાં સતત પાણીની આવકને કારણે ફરી ડેમના 28 દરવાજા ખોલવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.શનિવારે રાતે 1:30 વાગ્યે નર્મદા ડેમના 28 દરવાજા ખોલવામાં આવશે, હાલ ડેમમાં જળસપાટી 131.32 મીટર છે. પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં 4 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. તકેદારીના ભાગ રૂપે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવધાન કરવામાં આવ્યા છે. તો કેવડિયાનો ગોરા બ્રિઝ ફરી રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે અત્યારે નર્મદા ડેમમાં સપાટી 131 મીટર ઉપર પહોંચી છે. ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની આવક 1,25,888 ક્યૂસેક પાણી છે જ્યારે ડેમમાંથી 55,165 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રિવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલું છે જ્યારે કેનાલ હેડ પાવર હાઉસના 2 ટર્બાઇન ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, પ્રાપ્ત વિગત પ્રમાણે સરદાર સરોવર નર્મદા ડેમના ફરી એકવાર દરવાજા ખોડવામાં આવી શકે છે. શનિવારે 11 વાગ્યે તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા હતા, જો કે ઉપરવાસમાં સતત પાણીની આવકને કારણે ફરી ડેમના 28 દરવાજા ખોલવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.શનિવારે રાતે 1:30 વાગ્યે નર્મદા ડેમના 28 દરવાજા ખોલવામાં આવશે, હાલ ડેમમાં જળસપાટી 131.32 મીટર છે. પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં 4 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. તકેદારીના ભાગ રૂપે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવધાન કરવામાં આવ્યા છે. તો કેવડિયાનો ગોરા બ્રિઝ ફરી રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે.
Loading...