નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોમવારે બિહાર (Bihar)ને લગભગ 14 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની ભેટ આપી. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 9 હાઇવે પ્રોજેક્ટની સાથે બિહારના લગભગ 46 હજાર ગામોને ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કથી જોડવા માટે ઘર સુધી ફાઇબર યોજનાનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે વડાપ્રધાને કૃષિ બિલ (Agriculture Bills)નો પણ ઉલ્લેખ કર્યો. વડાપ્રધાને કહ્યું કે ખેડૂતોને આ બિલે કારણે નવી આઝાદી મળી ગઈ છે. હવે તેઓ જ્યાં ઈચ્છે ત્યાં પોતાની ઉપજ વેચી શકશે.
પીએમ મોદીએ કહ્યું કે નવા કૃષિ સુધારોએ દેશના દરેક ખેડૂતને આઝાદી આપી દીધી છે કે તેઓ કોઈને પણ, ક્યાં પણ પોતાનો પાક, શાકભાજી વેચી શકે છે. હવે ખેડૂતોને જો માર્કેટ યાર્ડમાં વધુ લાભ મળશે તો ત્યાં પોતાનો પાક વેચી શકશે. માર્કેટ યાર્ડ સિવાય બીજે ક્યાંક વધુ લાભ મળી રહ્યો હશે તો ત્યાં વેચવા માટે પણ મનાઈ નહીં રહે.
मैं यहां स्पष्ट कर देना चाहता हूं कि ये कानून, ये बदलाव कृषि मंडियों के खिलाफ नहीं हैं। कृषि मंडियों में जैसे काम पहले होता था, वैसे ही अब भी होगा। बल्कि ये हमारी ही एनडीए सरकार है जिसने देश की कृषि मंडियों को आधुनिक बनाने के लिए निरंतर काम किया है: PM नरेंद्र मोदी pic.twitter.com/rod5sKesOZ
વડાપ્રધાને કહ્યું કે, હું એ સ્પષ્ટ કરી દેવા માંગું છું કે આ કાયદો, આ ફેરફાર કૃષિ માર્કેટ યાર્ડોની વિરુદ્ધ નથી. માર્કેટ યાર્ડોમાં જેવી રીતે પહેલા કામ થતું હતું, તેવું હજુ પણ થશે. આ અમારી એનડીએ સરકાર છે જેણે દેશના માર્કેટ યાર્ડોને આધુનિક બનાવવા માટે નિરંતર કામ કર્યું છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, માર્કેટ યાર્ડોના કાર્યાલયોને ઠીક કરવા માટે, ત્યાંનું કોમ્પ્યૂટરાઈઝેશન કરવા માટે, છેલ્લા 5-6 વર્ષથી દેશમાં ખૂબ મોટું અભિયાન ચાલી રહ્યું છે. તેથી જે એવું કહી રહ્યા છે કે નવા કૃષિ સુધારા બાદ માર્કેટ યાર્ડો સમાપ્ત થઈ જશે, તો ખેડૂતોને બિલકુલ જૂઠું બોલીને ભ્રમ ફેલાવી રહ્યા છે.
मैं देश के प्रत्येक किसान को इस बात का भरोसा देता हूं कि MSP की व्यवस्था जैसे पहले चली आ रही थी, वैसे ही चलती रहेगी।
इसी तरह हर सीजन में सरकारी खरीद के लिए जिस तरह अभियान चलाया जाता है, वो भी पहले की तरह चलते रहेंगे: PM
પીએમ મોદીએ કહ્યું કે, ઘણી જૂની કહેવત છે કે સંગઠનમાં શક્તિ હોય છે. આજે આપણે ત્યાં મોટાભાગના ખેડૂત એવા છે જે ઘણી નાની જમીન પર ખેતી કરે છે. જ્યારે કલઈ ક્ષેત્રના આવા ખેડૂત જો એક સંગઠન બનીને આ કામ કરે છે તો તેનો ખર્ચ પણ ઓછો થાય છે અને યોગ્ય કિંમત પણ સુનિશ્ચિત થાય છે. કૃષિ ક્ષેત્રમાં આ ઐતિહાસિક ફેરફારો બાદ કેટલાક લોકોને પોતાના હાથમાંથી નિયંત્રણ જતું દેખાઈ રહ્યું છે. તેથી તેઓ ભ્રમ ફેલાવી રહ્યા છે. હવે આ લોકો MSP પર ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ એ જ લોકો છે જે વર્ષો સુધ MSP પર સ્વામિનાથન કમિટીની ભલામણોને પોતાના પગ નીચે દબાવીને બેસી રહ્યા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર