સાબરકાંઠા: ઇડરમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. જિલ્લામાં ઈડરના નરસિંહપુરા અને પૃથ્વીપુરા ત્રણ રસ્તા નજીક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. કોઈ અજાણી વ્યક્તિ દ્વારા મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. યુવતીનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. જ્યારે ફોરેન્સિક ટીમ સાથે રાખી પંચનામુ કરવામાં આવ્યું છે.
ખેતરની વાડ પાસેથી મળી આવી યુવતીની લાશ
ઈડર નાનરસિંહપુરા અને પૃથ્વીપુરા ત્રણ રસ્તા નજીક ખેતરની વાડમાંથી યુવતીની હત્યા કરી લાશને સળગાવવાનો પ્રયાસ કરાયો હોવાનું સામે આવ્યું છે. કોઈ અજાણી યુવતીની હત્યા કરી લાશને અડધી સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. અર્ધ સળગેલી હાલતમાં યુવતીની લાશ ખેતરની વાડ પાસેથી મળી આવતાં મચચાર મચી છે. જે યુવતીની લાશ મળી છે તેની ઉંમર લગભગ 20 વર્ષ જેટલી હોવાનું અનુમાન છે. અજાણી યુવતીની લાશ મળતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જિલ્લા એલ.સી.બી, એ.સો.જી, ઈડર ડી.વાઈ.એસ.પી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સાથે જ ફોરેન્સિક ટીમને સાથે રાખી ધટના સ્થળનું પંચનામું કરવામાં આવ્યું છે. અર્ધ સળગેલી હાલતમાં લાશ મળતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો છે. જ્યારે જે યુવતીની લાશ મળી આવી છે તેની ઓળખ કરવા પોલીસે પ્રયાસ હાથ ધર્યા છે. બીજી બાજુ, પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ઘરી ઘટના પાછળનું કારણ અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રગતિમાન કર્યા છે.