Home /News /rajkot /Rajkot: કોળી સમાજનાં સમુહલગ્નની કંકોત્રીની આટલી ચર્ચા કેમ? કંકોત્રીમાં શું છે સંદેશ, જાણો

Rajkot: કોળી સમાજનાં સમુહલગ્નની કંકોત્રીની આટલી ચર્ચા કેમ? કંકોત્રીમાં શું છે સંદેશ, જાણો

જેતપુરમાં યોજાનાર સમૂહલગ્નની કંકોત્રીમાં અનોખો મેસેજ

જેતપુરમાં યોજનાર કોળી સમાજનાં સમુહલગ્નની કંકોત્રી ચર્ચાનું કેન્દ્ર બની છે. કંકોત્રીમાં દારૂબંધીને લઇ સંદેશ આપવામાં આવ્યો છે. લગ્નમાં દારૂ પીને આવનાર પાસેથી દંડ લેવામાં આવે અને કરિયાવર આપવામાં નહી આવે તેવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
Mustufa Lakdawala, Rajkot: આજકાલ બધા લોકોની લાઈ ફસ્ટાઈલ બદલી રહી છે. સોસાયટીમાં નવા ટ્રેન્ડ આવી રહ્યાં છે. લોકો તે ટ્રેન્ડના હિસાબે ચાલવા લાગ્યા છે. ત્યારે હવે તો લગ્નમાં જાણે દારૂ પીવાનો ટ્રેન્ડ થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે જેતપુરમાં યોજાનાર સમુહ લગ્નની કંકોત્રીમાં અનોખો મેસેજ જોવા મળી રહ્યો છે.

રાજકોટ જિલ્લાનાં જેતપુરની કંકોત્રી વાયરલ થઇ

લગ્ન પ્રસંગમાં દારૂ પીવો આજનો ટ્રેન્ડ બની ચૂક્યો છે. ત્યારે રાજકોટના હડાળા ગામની કંકોત્રી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી હતી.



જેમાં દારૂ પીને નહીં આવવાનું સૂચન કરવામાં આવ્યું છે અને પકડાશો તો દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. ત્યારબાદ હવે આવી જ એક કંકોત્રી વાયરલ થઈ છે રાજકોટ જિલ્લાના જેતપુર ગામની છે.



કોળી સમાજનાં સમુહ લગ્નોત્સવની કંકોત્રીમાં શું લખ્યૂ?

જેતપુર કોળી સમાજ દ્વારા સમુહ લગ્નોત્સવની કંકોત્રીમાં લખ્યું છે કે, "સમુહ લગ્નમાં દારૂ પીને આવવું નહીં



અને જો આવશો તો રૂપિયા 500 દંડ લેવામાં આવશે અને કરિયાવર પણ આપવામાં નહીં આવે!"



દારૂબંધીને સમર્થન આપવા અનોખી પહેલ કરી છે

રાજકોટના જેતપુરના કોળી સમાજની દારૂબંધીને સમર્થન આપવા આયોજકોએ આ અનોખી પહેલ કરી છે. સમૂહલગ્નની કંકોત્રીમાં સ્પષ્ટ લખ્યું છે કે, "સમૂહ લગ્ન મહોત્સવમાં દારૂ પીને આવવું નહીં.



અને જો દારૂ પીતા પકડાશો તો 500 રૂપિયાનો દંડ થશે. આ સાથે જો વર-કન્યા પક્ષના લોકો પકડાશે તો તેને કરિયાવર મળશે નહીં અને ઉપર 5000નો દંડ આપવામા આવશે.
First published:

Tags: Invitation card, Local 18, Rajkot News