રાજકોટઃ રાજ્યમાં (Gujarat state) વધતાં વિકાસ સાથે ઝડપી શહેરીકરણની પ્રક્રિયા સાહજિક છે. સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (Swarnim Jyanti Mukhyamantri Shaheri Vikas Yojana) દ્વારા ગુજરાતના શહેરોમાં ઊભી કરવામાં આવેલ 21મી સદીની અદ્યતન માળખાગત સુવિધાઓની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લેવામાં આવેલ છે. સ્વચ્છ શહેર (clean city) બાબતના સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં મેગા સિટીમાં (Mega City) અમદાવાદે પ્રથમ ક્રમે તો અન્ય શહેરોમાં સુરતે બીજો અને રાજકોટે ચોથો ક્રમ મેળવી રાજયનું ગૌરવ વધાર્યું છે.
ઉપરાંત ગાંધીનગર શહેરને બેસ્ટ સિટી ઇન ઇનોવેશન એન્ડ બેસ્ટ પ્રેક્ટિસિસનો પુરસ્કાર મળેલ છે. નાણાંમંત્રી નીતિન (Finance Minister Nitin Patel) પટેલે ગુજરાતના બજેટમાં (Gujarat budget 2021) રાજકોટમાં આધુનિક ટેકનોલોજી આધારીત નવી મેટ્રો ટ્રેન સેવા શરૂ કરવા સહિતની જાહેરાતો કરી હતી. બીજી તરફ ગુજરતમાં ઔદ્યોગીક વિકાસને સાનુકુળ વાતાવરણ પુરૂ પાડવાના હેતુથી સરકારે ઉદાર વહીવટી સુધારા કરી 300થી વધુ કાયદાકીય પદ્ધતિઓમાં સરળીકરણ કરેલ છે.
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની દિશામાં આવી સકારાત્મક કામગીરી કરનાર રાજ્ય દેશમાં પ્રથમ સ્થાને છે. ઉપરાંત ઉદ્યોગ ધંધાઓને જુદા જુદા પ્રકારના જે ફોર્મ ભરવા પડતા હતા તેમાંથી ઘણા ફોર્મ ભરવામાંથી મુકિત આપવામાં આવી રહેલ છે.
માળખાકીય ક્ષેત્રને વિકસાવવા મોટા પ્રમાણમાં મુડી રોડ કરવામાં આવી રહેલ છે જે અંતર્ગત રાજયમાં હાલ કેન્દ્ર અને રાજય સરકારના 1 લાખ 90 હજાર કરોડના 314 માળખાકીય પ્રકલ્પો પ્રગતિમાં છે.
રાજયના જુદા જુદા વિસ્તારમાં ઔદ્યોગીકરણને પ્રોત્સાહન આપી સ્થાનીક રોજગાર નિર્માણ થાય તે હેતુથી બનાસકાંઠા જિલ્લામાં જલોત્રા, જામનગર જિલ્લામાં શેખપાટ, ગાંધીનગર જિલ્લામાં કડજોગ, અમરેલી જિલ્લામાં પીપાવાવ અને રાજકોટ જિલ્લામાં નાગલપર ખાતે તેમજ પાટણ, આણંદ, મહીસાગર અને મોરબી જિલ્લામાં જી.આઇ.ડી.સી. દ્વારા નવી ઔદ્યોગીક વસાહતો સ્થાપવાનું આયોજન છે.
" isDesktop="true" id="1076878" >
" isDesktop="true" id="1076878" >
નાગલપુર કુવાડવા રોડ પર નવાગામની સામેના ભાગે આવેલુ છે. મેડીકલ અને ફાર્મા સેકટરમાં ગુજરાત રાજયનું આગવું સ્થાન છે. આ સેકટરને વધુ મજબુત કરવા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં બલ્ડ ડ્રગ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને રાજકોટ ખાતે મેડીકલ ડીવાઇસ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવાનું આયોજન છે.