Home /News /rajkot /Rajkot News: આ 9 સ્થળોએ માત્ર 5 રૂપિયામાં મળશે ભરપેટ ભોજન, શ્રમિક અન્નપુર્ણા યોજનાનો શુભારંભ
Rajkot News: આ 9 સ્થળોએ માત્ર 5 રૂપિયામાં મળશે ભરપેટ ભોજન, શ્રમિક અન્નપુર્ણા યોજનાનો શુભારંભ
શ્રમિકોને 5 રૂપિયામાં ભોજન મળે તે માટે રાજકોટમાં શ્રમિક અન્નપુર્ણા યોજનાનો શુભાર
માં અન્નપૂર્ણાએ જેમ ભગવાન શંકરને અન્ન તૃપ્તિ કરાવી હતી.જે જ રીતે રાજ્ય સરકાર દ્વારા બાંધકામ શ્રમિક પરિવારોના ભોજનની ચિંતા કરીને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પુન:પ્રારંભ કરાવ્યો છે.
Mustufa Lakdawala,Rajkot : શ્રમિકોને પુરૂતુ ભોજન અને એ પણ માત્ર 5 રૂપિયામાં મળી શકે તે માટે રાજકોટમાં શ્રમિક અન્નપુર્ણા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે.રાજકોટમાં 9 સ્થળે રૂ. 5માં ભોજનની શ્રમિક અન્નપુર્ણ યોજનાનો શુભારંભ અને આવાસ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ મંત્રી ભાનુબેનના હસ્તે કરવામાં આવી છે.
માં અન્નપૂર્ણાએ જેમ ભગવાન શંકરને અન્ન તૃપ્તિ કરાવી હતી.જે જ રીતે રાજ્ય સરકાર દ્વારા બાંધકામ શ્રમિક પરિવારોના ભોજનની ચિંતા કરીને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પુન:પ્રારંભ કરાવ્યો છે.
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા રૈયા ચોકડી નજીક આવેલા કડિયા નાકા પાસે આયોજિત સમારંભમાં મંત્રી ભાનુબેને જણાવ્યું હતું કે કોરોના પહેલા આ યોજના 12 જિલ્લાના 36 શહેરમાં 119 જેટલા કડિયા નાકા પર કાર્યરત હતી. પણ કોરોના બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ અને ગાંધીનગર ખાતે આ યોજનાનો પુનઃ પ્રારંભ કરાવ્યો છે. હાલ વડોદરા, સુરત અને રાજકોટ સહિત કુલ 81 કેન્દ્રો પર આ યોજનાની અમલવારી શરૂ થઈ ચુકી છે.
આ યોજના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બની હોવાનું ભાનુબેને જણાવ્યું હતું. બાંધકામ શ્રમિકોને ફક્ત રૂ. 5માં એક ટંકનું પોષણયુક્ત ભોજન આપવાની સાથે શ્રમિકોના આરોગ્યની ચિંતા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. ધન્વંતરિ રથ દ્વારા શ્રમિકોને નિદાન-સારવાર તેમજ 17 જેટલા બ્લડ રીપોર્ટ નિઃશુલ્ક કરી આપવામાં આવે છે.
મંત્રી ભાનુબેને આ તકે શ્રમિકોને રવાનો શીરો, બે શાક, પુલાવ, રોટી સહિતનું ભોજન પીરસી શ્રમિક મહિલાઓ પ્રતિ સમભાવ વ્યક્ત કર્યો હતો. તેમજ ધન્વંતરિ રથની મુલાકાત લઈ શ્રમિકોને આપવામાં આવતી સારવારની માહિતી મેળવી હતી. કાર્યક્રમમાં મંત્રીના હસ્તે શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ રૂ. 1.60 લાખ સહાયના ચેક અર્પણ કર્યા હતાં.
ગુજરાત રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકો માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આ યોજનાનો પ્રારંભ જૂન- 2017માં કરવામાં આવ્યો હતો. આ યોજનાનો લાભ લેવા માટે શ્રમિકોને ઈ-નિર્માણ કાર્ડ જરૂરી છે. જે બાંધકામ સાઈટ પર શ્રમિકોને કાઢી આપવામાં આવે છે. આ કાર્ડથી અન્ય યોજનાકીય લાભો પણ મળવા પાત્ર હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ શ્રમિક કમિશનર જી.એમ ભુટકા, ઇન્ડસટ્રીઅલ સેફટી અને હેલ્થ વિભાગના જોઈન્ટ ડિરેક્ટર એચ. એસ, પટેલ તેમજ મોટી સંખ્યામાં શ્રમિકો ઉપસ્થિત રહ્યાં હતાં.