Home /News /rajkot /રાજકોટમાં અંધશ્રદ્ધામાં પિતા બન્યો હેવાન, બે સંતાન-પત્ની પર કર્યો હુમલો, 3 મહિનાની દીકરીનું મોત

રાજકોટમાં અંધશ્રદ્ધામાં પિતા બન્યો હેવાન, બે સંતાન-પત્ની પર કર્યો હુમલો, 3 મહિનાની દીકરીનું મોત

બનાવ વહેલી સવારે 4:30 વાગ્યા આસપાસ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.  

કયા કારણોસર પિતાએ પોતાના જ પરિવારજનો પર કર્યો હુમલો? વહેલી સવારે 4:30 વાગ્યાની ઘટના. 3 માસની લક્ષ્મીને ઉતારી મોતને ઘાટ

રાજકોટ: શહેરમાં ધુળેટીના પર્વે જ લોહીયાળ જંગ ખેલાયો હોય તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ પાસે આવેલા જનતા એપાર્ટમેન્ટમાં વહેલી સવારે પિતાએ પોતાના જ પરિવારજનો પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્રણ માસની દીકરી લક્ષ્મીનું સમગ્ર બનાવમાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે કે ચાર વર્ષનો પુત્ર નિયત તેમજ 25 વર્ષીય બસંતી નામની પત્નીને પણ છરી મારી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર મામલે બંને ઘાયલ માતા-પુત્રને હાલ સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. બીજી તરફ, સમગ્ર બનાવની સ્થાનિક પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સમગ્ર બનાવ વહેલી સવારે 4:30 વાગ્યા આસપાસ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આંધશ્રદ્ધામાં એક પરિવારનો માળો વિખેરાયો

આ બનાવા અંગે ચોંકાવનારી જાણકારી સામે આવી રહી છે, આંધશ્રદ્ધામાં એક પરિવારનો માળો વિખેરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટમાં અંધશ્રદ્ધામાં પિતા હેવાન બન્યો છે. પિતાએ બે સંતાન અને પત્ની પર છરીથી હુમલો કર્યો હતો. પિતાના હુમલામાં 3 વર્ષની દીકરીનું મોત થયું છે. 4 વર્ષનો પુત્ર અને પત્ની ગંભીર રીતે ઘાયલ છે. જ્યારે માતા અને પુત્ર હાલ સારવાર હેઠળ છે.

માતાજીએ કહ્યુ હતુ કે પરિવારને મારી નાખ: પત્ની

અજંતા એપાર્ટમેન્ટમાં વહેલી સવારે સાડા ચાર વાગ્યે પિતાએ પરિવારજનો પર હુમલો કર્યો હતો. જે બાદ આરોપી પિતા પ્રેમસંગ નેપાળીની અટકાયત કરવામાં આવી છે. સાથે જ મૃતક બાળકીની માતા બસંતીનું નિવેદન સામે આવ્યું છે. તેનું કહેવું છે કે, પતિ પ્રેસસંગને 'માતાજી' આવતા હતા. માતાજીએ કહ્યું હતું કે, પરિવારને મારી નાખ. નોંધનીય છે કે, આરોપી પતિ વાહનો સાફ કરવાનો કામ કરતો હતો.



આ પણ વાંચો: પતિએ પત્નીની કરી હત્યા, આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ

પોલીસ દ્વારા ઘટના સ્થળે તપાસ કરવામાં આવી રહી છે

હાલ તો ત્રણ માસની પુત્રી લક્ષ્મીનું અવસાન થતાં તેની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી છે. સાથે જ સ્થાનિક પોલીસ દ્વારા ઘટના સ્થળ પર જરૂરી પંચનામાની કાર્યવાહી પણ કરવામાં આવી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે કે, કેમ તે અંગે પણ હાલ પોલીસ દ્વારા ઘટના સ્થળે તપાસ કરવામાં આવી રહી છે. તો સમગ્ર મામલે પોલીસની એક ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે ભોગ બનનારનું નિવેદન લેવા પણ પહોંચી હતી.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Gujarat News, Rajkot News