Home /News /rajkot /જવરીમલ બિશ્નોઇના પુત્રનો 'લેટરબોમ્બ': 'સીબીઆઈના અધિકારીઓ રૂપિયા ભરેલો થેલો બહારથી લાવ્યા અને...''

જવરીમલ બિશ્નોઇના પુત્રનો 'લેટરબોમ્બ': 'સીબીઆઈના અધિકારીઓ રૂપિયા ભરેલો થેલો બહારથી લાવ્યા અને...''

ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)ની ઓફિસના ટોચના અધિકારી જવરીમલ બિશ્નોઈ 5 લાખ રૂપીયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. (ફાઇલ તસવીર)

આ ચર્ચાસ્પદ કેસમાં મૃતકનાં પુત્ર આદિત્ય બિશ્નોઇએ ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટને પત્ર લખ્યો છે.

રાજકોટ: ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)ની ઓફિસના ટોચના અધિકારી જવરીમલ બિશ્નોઈ 5 લાખ રૂપીયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. સીબીઆઇ દ્વારા રંગે હાથે ઝડપાયા બાદ તપાસ દરમિયાન અધિકારીએ પોતાની જ કચેરીમાંથી ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ ચર્ચાસ્પદ કેસમાં મૃતકનાં પુત્ર આદિત્ય બિશ્નોઇએ ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટને પત્ર લખ્યો છે. જેમાં અનેક ખળભળાટ મચાવી શકે તેવી વાતો પણ લખવામાં આવી છે. આ પત્રમાં એમ પણ લખ્યુ છે કે, સીબીઆઇના અધિકારીઓ સામે હત્યાનો ગુનો નોંધાવો જોઇએ.

આ પત્રમાં એમ પણ જણાવવામાં આવ્યુ છે કે, 'સીબીઆઇના અધિકારીઓ જ્યારે ઘરે સર્ચ કરી રહ્યા હતા તે દરમિયાન કહ્યું હતું કે" તું તારા પિતાનું મોઢું ક્યારેય જોઇ નહીં શકે. તારા પિતાએ મોટી રાજકીય વગ ધરાવતા વ્યક્તિ સાથે માથાકૂટ કરી છે એટલે પતાવવા પડશે. આ ઉપરાંત પણ આદિત્યએ સીબીઆઇ પર ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યુ છે કે, સીબીઆઇના અધિકારીઓ તેમના ઘરે ઘુસીને અસભ્ય વર્તન કર્યો છે. ઘરનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો છે અને તેઓ રૂપિયા ભરેલો થેલો બહારથી લાવીને સીબીઆઈના અધિકારીઓ કોરા કાગળમાં સહી કરાવવા ઇચ્છતા હતા.'

આદિત્ય બિશ્નોઇએ ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટને પત્ર લખ્યો


આ સાથે પત્રમાં એવું પણ લખ્યુ છે કે, 'સીબીઆઇના અધિકારીઓએ સ્પીકર ફોનમાં તેના પિતા સાથે વાત કરી હતી ત્યારે તેના પિતા પરિવારને વચ્ચે ન લાવવાની પણ આજીજી કરી રહ્યા હતા.'

આ પણ વાંચો: આ વિસ્તારોમાં માવઠાની આગાહી

આદિત્યએ એવો પણ દાવો કર્યો છે કે, સીબીઆઇએ સર્ચ દરમિયાન જે વાતો કહી છે તેનું ઓડિયો રેકોર્ડિંગ તેની પાસે છે.

પહેલા પણ સીબીઆઈ પર કર્યા હતા આક્ષેપ


બિશ્નોઇએ અચાનક લીધેલા આ પગલાંને કારણે પરિવારમાં ઘણો જ રોષ વ્યાપી ગયો હતો ત્યારે પરિવારે આ પહેલા પણ સીબીઆઈ પર અનેક આક્ષેપ લગાવ્યા હતા. પરિવારે સીબીઆઈ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, સીબીઆઈની ટીમે બિશ્નોઇ સામે કાવતરું રચીને હત્યા કરી છે. જેથી પરિવારે અધિકારીઓ સામે હત્યાનો ગુનો નોંધાવવાની તૈયારી બતાવીને મૃતદેહ પણ સ્વીકાર્યો ન હતો. સિવિલનાં પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પરિવારજનો ભેગા થઇને ધરણાં પણ શરૂ કરી દીધા હતા. પરિવારની એક જ માંગ હતી કે, સીબીઆઈનાં અધિકારીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવશે પછી જ અમે મૃતદેહ સ્વીકારીશું. જોકે, રવિવારે પરિવારજનો ડીસીપી સુધીરકુમાર દેસાઇ અને એસીપી પંડ્યાને પણ મળ્યા હતા. આ બંને વચ્ચે આખો દિવસ વાતચીત ચાલી હતી. જે બાદ આખરે જયુડીશીયલ ઈન્કવાયરીની માંગ સ્વીકારાતા રાત્રે મૃતદેહ સ્વીકારવા માટે તૈયાર થઈ ગયા હતા. જોકે, અધિકારીઓને તપાસમાં બિશ્નોઇ દ્વારા એક કરોડનું સોનું ખરીદવાનું તપાસમાં ખુલ્યું છે.
First published:

Tags: Gujarat News, Rajkot News