Home /News /rajkot /રાજકોટ: કોરોનામાં પતિનું અવસાન થતાં મહિલાએ શરૂ કરી અનોખી જનસેવા
રાજકોટ: કોરોનામાં પતિનું અવસાન થતાં મહિલાએ શરૂ કરી અનોખી જનસેવા
આ મહિલાએ એક એમ્બ્યુલન્સ લીધી અને લોકોની સેવા કરવાનું શરૂ કર્યું
Rajkot News: રાજકોટમાં રહેતા એક મહિલાના પતિનું કોરોનાને લીધે અવસાન થયું હતું. જે બાદ આ મહિલાએ લોકોની સેવા કરવાનું નક્કી કર્યું હતું. દર્દીઓની જિંદગી બચાવવા માટે તેમણે શરૂ કરી છે અનોખી સેવા.
રાજકોટ: શહેરમાં માં રહેતી એક મહિલાના પતિનું કોરોનાને લીધે અવસાન થયું હતું. જે બાદ આ મહિલાએ લોકોની સેવા કરવાનું નક્કી કર્યું હતું. તેમણે નક્કી કર્યું હતું કે દર્દીઓની જિંદગી બચાવવા માટે અને લોકોની સેવા કરવા માટે એક એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવી જોઇએ. જે બાદ આ મહિલાએ એક એમ્બ્યુલન્સ લીધી હતી અને લોકોની સેવા કરવાનું શરૂ કર્યું હતું. જેથી લોકોને પરેશાન થવું ન પડે.
એક વર્ષથી સેવા ચાલુ છે
સેવા કરતા સંગીતાબેન હરેશભાઈ શાહે જણાવ્યું હતું કે, 2021માં મારા પતિનું અવસાન થયું હતું. તેમને કોરોના હતો. તે સમયે રાજકોટમાં કોરોનાના વધુ પોઝિટિવ કેસ આવતા હતા. આ દરમિયાન ઘણા લોકોનું અવસાન પણ થયું હતું. જે બાદ વિચાર આવ્યો કે, રાહત દરે આપણે એક એમ્બ્યુલન્સ દાન કરીએ. અત્યારે અમે ડ્રાઈવર રાખીને એમ્બ્યુલન્સ ચલાવીએ છીએ. અમે આ એમ્બ્યુલન્સ લીધી તેને એક વર્ષ થઈ ગયું છે. અત્યારે સેવા ચાલુ જ છે. આ સાથે જ અમે ગરીબોને દાન કરીએ છીએ, ઝુંપડપટ્ટીમાં જઈને જમાડીએ છીએ. ગાયોને ખવડાવું છું. મને આવુ ગમે છે.
તેમણે જણાવ્યું કે, ગરીબ માણસો હેરાન ન થાય તે માટે અમે આ એમ્બ્યુલન્સ ચાલુ કરી છે. ગરીબ માણસોને ખર્ચા ન પોસાય તે માટે આ રાહત દરે એમ્બ્યુલન્સ ચાલુ કરી છે. આ દરમિયાન હું અમદાવાદ, મોરબી સહિત અનેક ગામોમાં ગઈ છું. આ એમ્બ્યુલન્સ નેપાળ સુધી ગઈ છે. લોકોની અમને દુઆ પણ મળે છે. મારા પતિ ઈન્સ્યોરન્સ એક્ઝિક્યુટીવ હતા અને તેમને પેરાલિસિસનો એટેક આવ્યો હતો. આ સાથે જ તેમને કોરોના પણ થયો હતો. તેમને ત્રીજા દિવસે બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું. મારો તો જન્મ જ સેવા કરવા માટે થયો છે. મારા ઘરેથી કોઈ ખાધાપીધા વગર જતું નથી. આ મહિલા પોતાના પતિના મૃત્યુ બાદ લોકોની સેવા કરી રહી છે.