Home /News /rajkot /રાજકોટ: કોર્પોરેટર ધર્મિષ્ઠાબા સભાસદ તરીકે ગેરલાયક, ચૂંટણી પંચને જાણ કરાઇ

રાજકોટ: કોર્પોરેટર ધર્મિષ્ઠાબા સભાસદ તરીકે ગેરલાયક, ચૂંટણી પંચને જાણ કરાઇ

રાજકોટ મહાનગરપાલિકા

રાજકોટ નગરપાલિકામાં હાલ ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે.

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૮ના કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજા સતત ત્રણ માસ દરમ્યાન કોર્પોરેશનની બેઠકમાં ગેરહાજર રહેતા તેઓ સભાસદ તરીકે ચાલુ રહેવા અસમર્થ હોવાથી વોર્ડ નં.૧૮ ની આ "સામાન્ય સ્ત્રી અનામત" કક્ષાની બેઠક ખાલી પડતી હોવા અંગે મ્યુનિસિપલ સેક્રેટરીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને જાણ કરતા આ અંગે ચૂંટણી પંચ અને રાજ્ય સરકારને જાણ કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં જણાવ્યુ કે, મ્યુનિસિપલ સેક્રેટરીએ અત્રે પાઠવેલા પત્રમાં વોર્ડ નં.૧૮ ના કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજા સતત ૩ માસ દરમ્યાન કોર્પોરેશનની બેઠકમાં ગેરહાજર રહેતા જી.પી.એમ.સી. એક્ટ,૧૯૪૯ની કલમ-૧૧ મુજબ કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજા સભાસદ તરીકે મટી જવા અંગે જાણ કરી હતી.”

તેમણે વધુમાં જણાવ્યુ કે, વિશેષમાં, જી.પી.એમ.સી. એક્ટ,૧૯૪૯ની કલમ-૧૧(૧) મુજબ કોર્પોરેટરની જગ્યા જે તારીખથી ખાલી પડી હોય તે તારીખથી ૩ (ત્રણ) માસમાં ત્યાં ચૂંટણી કરી જગ્યા પૂર્વી જરૂરી બનતી હોઈ, આ સંદર્ભમાં ચૂંટણી પંચ અને રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને જાણ કરવામાં આવેલી છે. આ બેઠક તા. ૧૩-૮-૨૦૧૮ થી ખાલી પડેલી છે તેમ પણ ચૂંટણી પંચને જાણ કરવામાં આવી છે. રાજકોટ નગરપાલિકામાં હાલ ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે.
First published:

Tags: Election commission, Rajkot Municipal Corporation, રાજકોટ

विज्ञापन