Home /News /rajkot /ક્રિકેટર ચેતેશ્વર પુજારા રાજકોટની મુલાકાતે, ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યાની ખુશી વ્યક્ત કરી
ક્રિકેટર ચેતેશ્વર પુજારા રાજકોટની મુલાકાતે, ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યાની ખુશી વ્યક્ત કરી
રાજકોટના વતની ક્રિકેટર ચેતેશ્વર પુજારા
Cricketer Cheteshwar Pujara: રાજકોટના વતની અને ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયન શિપની ફાઇનલમાં પહોંચી ગઈ છે આ વાતની ખુશી વ્યક્ત કરી છે. તો સાથે જ જણાવ્યું હતું કે, ‘ભારત વતી 100 ટેસ્ટ મેચ રમીએ મારા માટે ગર્વની વાત છે’
રાજકોટ: રાજકોટના વતની અને ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયન શિપની ફાઇનલમાં પહોંચી ગઈ છે આ વાતની ખુશી વ્યક્ત કરી છે. તો સાથે જ જણાવ્યું હતું કે, ‘ભારત વતી 100 ટેસ્ટ મેચ રમીએ મારા માટે ગર્વની વાત છે’ આ સાથે જ લોહાણા સમાજ દ્વારા તેમનું જે સન્માન થયુ છે. તે બદલ ચેતેશ્વર પુજારા એ ખુશી વ્યક્ત કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમના ધ વોલ ગણાતા ક્રિકેટર ચેતેશ્વર પુજારાનું આજે રાજકોટમાં સન્માન થયું હતું.
પુજારા માટે સન્માન સમારોહ રાખવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે, ચેતેશ્વર પુજારા જે જ્ઞાતિમાંથી આવે છે તે લોહાણા સમાજ દ્વારા આજે તેમનું ખાસ સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહ શહેરની કે.કે.વી હોલ નજીક આવેલા કેસરિયા લોહાણા સમાજની વાડીમાં રાખવામાં આવી હતો. આ સન્માન સમારોહમાં ચેતેશ્વર પુજારા તેમની પત્ની પૂજા પુજારા તેમજ તેમના પિતા અરવિંદ પુજારા સાથે અહીંયા પહોંચ્યો હતો. લોહાણા સમાજના જ્ઞાતિ અગ્રણીઓ એ ચેતેશ્વર પુજારાનું ભવ્યાતી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બદલ ચેતેશ્વર પુજારાએ ખુશી વ્યક્ત કરી હતી.
ચેતેશ્વર પુજારા ઉપરાંત તેમના પત્ની પૂજા પુજારાનું પણ લોહાણા સમાજ દ્વારા સ્વાગત કરાયું હતું. તેમના પિતા અરવિંદ પુજારાનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે લોહાણા સમાજના અગ્રણીઓએ ચેતેશ્વર પુજારાની ખૂબ પ્રશંસા કરી હતી. પોતાના સમાજનું ગૌરવ હોવાની વાત કાર્યક્રમમાં ઉપસ્થિત લોહાણા સમાજના અગ્રણીઓ એ કરી હતી. તો ચેતેશ્વર પુજારાએ પણ પોતાના જ્ઞાતિ વિષય પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
લોહાણા સમાજના આ કાર્યક્રમમાં રાજકોટ લોહાણા સમાજના અગ્રણીઓ તેમજ રાજકોટ લોહાણા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો ચેતેશ્વર પુજારાને નજીકથી જોવા જ્ઞાતિના લોકો ઊંમટી પડ્યા હતા. ચેતેશ્વર પૂજારાની એક ઝલક જોઈ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ લોકો ખુશ થઈ ગયા હતા. ચેતેશ્વર પુજારાએ પણ આ માટે સૌ લોકોના આભાર માની ખુશી વ્યક્ત કરી હતી.